________________
૩૦
નવ-તત્ત્વ દ્દીપિકા
પર્યાયશબ્દો છે. આવૃત્તિ કર્યાં વિના શાસ્ત્રજ્ઞાન તાજું રહેતું નથી.
૪. અનુપ્રેક્ષા
ગ્રહણ-ધારણ કરેલા સૂત્ર અને અર્થ સંબંધી અનુપ્રેક્ષણ એટલે ચિંતન-મનન કરવુ', તેને અનુપ્રેક્ષા કહેવાય છે. અનુપ્રેક્ષા વિના સૂત્ર-સિદ્ધાંતનું વાસ્તવિક રહસ્ય સમજાતું નથી. અન્યત્ર નિદિધ્યાસન શબ્દ વડે આ વસ્તુ સૂચિત કરવામાં આવી છે.
૫. ધમથા
સૂત્ર-સિદ્ધાંતનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી અન્યને ધનું કથન કરવુ, ધર્મના ઉપદેશ આપવા, તે ધક્રિયા કહેવાય છે.
સ્વાધ્યાયદ્વારા સાધકે વિશ્વનું સ્વરૂપ, ષડૂદ્રવ્યે અને તેના ગુણુપર્યાય, આત્માની જુદી જુદી અવસ્થાઓ તથા માક્ષમાના ઉપાયરૂપ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સભ્યચારિત્રના વિશુદ્ધ આધ પ્રાપ્ત કરી લેવાને! હાય છે કે જે તેને શ્રેયસની સિદ્ધિમાં ઘણા સહાયક નીવડે છે. (૫) ધ્યાનતપ
ચિંતનીય વિષયમાં મનને એકાગ્ર કરવું, તેને ધ્યાન કહેવાય છે. આ ધ્યાન બે પ્રકારનુ છે: (૧) અશુભ અને (૨) શુભ. તેમાં અશુભ ધ્યાન કખંધનું કારણ હાઈ છોડવા ચેાગ્ય છે અને શુભ ધ્યાન કર્મની નિર્જરાનું કારણ હાઈ ઉપાદેય છે.