________________
૨૮૬
નવ-નવ દીપિકા
શરીર એ બધાથી હું અન્ય છું, ભિન્ન છું, જુદો છું, એવી જેને નિશ્ચયાત્મક બુદ્ધિ પિદા થઈ છે, તેને શેકષ્પી કલેશ કંઈ પણ પીડા ઉપજાવી શક્તા નથી.” તાત્પર્ય કે જે સાધક અન્યત્વભાવનાને આશ્રય લે છે, તે બહિરાત્મ ભાવમાંથી અંતરાત્મભાવમાં અને છેવટે પરમાત્મભાવમાં સ્થિર થઈ સર્વ દુખેથી મુક્ત થાય છે.
(૬) અશુચિસ્વભાવના આ શરીર અશુચિને. ભંડાર છે. તેનાં વિવિધ દ્વારમાંથી નિરંતર અશુચિને પ્રવાહ વહ્યા કરે છે. વળી અત્તર આદિ સુગંધમય શુદ્ધ પદાર્થો પણ તેના સંસર્ગમાં આવતાં અશુચિમય બની
જાય છે. આવા અશુચિમય શરીર પર મેહ શો? વગેરે • ચિંતવવું, તેને અશુચિમયભાવના કહે છે. શ્રીવિનયવિજયજી મહારાજે શાંતસુધારસભાવનામાં કહ્યું છે કે
स्नायं स्नाय पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिः, वारं वारं बत मलतनुं चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते, नो शुद्धयन्ते कथमवकरः शक्यते शोध्धुमेवम् ॥
“અહો! મૂઢ જીવે ફરી ફરીને સ્નાન કરે છે અને -મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન વડે ચર્ચે છે. પછી -અમે પવિત્ર છીએ, એમ માનીને એના પર મેહ ધરે છે; - પરંતુ એ શરીર કદી પણ શુદ્ધ થતું નથી. ઉકરડે કદી પણ શુદ્ધ થાય ખરે?”