________________
પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતીત્રીજી મહારાજ ઠા-૧૨ બિરાજમાન છે. તેમાં પહેલા પાંચ સાધુજીએને દીક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદભૂત વાણી છે. ખંભાત સંપ્રદાયમાં બાર રત્ન સમાન બાર સંતે જનશાસનને શોભાવી રહ્યા છે. તે (૧) મહાન વૈરાગી ૫. કાંતીષજી મહારાજ સાહેબ (૨) બા. બ્ર. પૂ. સૂર્યમુનિ મ. (૩) બા. બ્ર. પૂ. અરવિંદમુનિ મ. (૪) બા. બ્ર. પૂ. નવીનમુનિ મ. (૫) બા. બ્ર. પુ. કમલેશ મુનિ મ. (૬) બા. બ્ર. પુ. પ્રકાશમુનિ મ. (૭) બા. બ્ર. પૃ. ચેતનમુનિ મ. (૮) બા.બ્ર. પૂ. મહેન્દ્રમુનિ મ. (૯) પૂ. દર્શનમુનિ મ. (૧૦) બા.બ્ર. પૂ. ભાસ્કરમુનિ મ. (૧૧) બા. બ્ર. પૂ. ધર્મેન્દ્રમુનિ મ. (૧૨) નવદીક્ષિત બા. બ્ર. પૂ. મૃગેન્દ્રમુનિ મ. ઠાણ-૧૨ વિદ્યમાન છે.
પૂ. મહાસતીજીએ આજથી ૧૫ વર્ષ પહેલા કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષની વિનંતીને માન આપી સં. ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું, ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી પ્રભાવશાળી વાણીએ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચોટ વ્યાખ્યાનેએ જનતામાં અલૌકિક અસર કરી, અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી શ્રી રમણીકભાઈ કેડારી સહિત ૫૧ ભાઈ બહેનોએ એકી સાથે બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી. મેહમયી મુંબઈ નગરી માટે આ અભૂતપુર્વ બનાવ હતો. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, દાદર, વિલેપાર્લા અને ઘાટકોપર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાના પુર આવ્યા હતા. આ ચાતુર્માસ દરમ્યાન તેમજ શેષકાળમાં પૃ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથ જોડ થઈ હતી. આ રીતે પૂ. મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સંપ્રદાયનું નામ રોશન કરી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, ધાંગધ્રા, અમદાવાદમાં (નગરશેઠને વડે) ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી ગુજરાત સૌરાષ્ટ્રમાં તપ ત્યાગની ભરતી આવી હતી.
પૂ. મહાસતીજી એક વખત તે મુંબઈ નગરીને પાવન કરી ચૂક્યા હતા, પણ પૂ. મહાસતીજીની વાણી મુંબઈની જનતામાં એવું આકર્ષણ પેદા કરી ગઈ હતી કે પુ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઈની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી. એટલે કાંદાવાડી, માટુંગા આદિ સંઘની વિનંતી અવારનવાર ચાલુ રહી હતી. તેથી મુંબઈ સંઘની આગ્રહ ભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને ફરીવાર મુંબઈ આવવાનું બન્યું ને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાચકે ! આપ આ ઉપરથી સમજી શકશે કે પૂ. શારદાબાઈ મહાસતીજીએ મુંબઈ નગરીની જનતાના દિલનો પ્રેમ કેટલે સંપાદન કર્યો હશે !
સંવત ૨૦૨ માં કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પુ.મહાસતીજીને કાંદાવાડીમાં ચાતુર્માસ કર્યું. તે ચાતુર્માસમાં પૂ. મહાસતીજીએ માત્ર બૃહદ્ મુંબઈમાં