________________
પત્રાંક-૩૦૧ સિદ્ધ નહીં થાય. કંઈ પૃચ્છા કરવા ઇચ્છા હોય.” પત્રથી પૂછાવ્યું હશે. તો તેમણે આણંદ હર્ષપૂર્વક...” એટલે ખુશીથી કરવી.' રૂબરૂ મળે ત્યારે પૂછી લે. પત્રમાં એ સમજી શકે એવી યોગ્યતા નથી લાગતી.
પત્રક-૩૦૧
વિવાણિયા, કાર્તિક સુદ ૮, સોમ, ૧૯૪૮ સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય,
જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.
1
વિ. રાયચંદના ય.
૩૦૧મો પત્ર “સોભાગભાઈ ઉપરનો છે. “સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય’ સ્મરણ કરવા યોગ્ય લીધા છે. પોતાને સ્મરણમાં આવે પણ છે એટલે એમ લખે છે).
મુમુક્ષુ - Heading વાંચીને જ તૃપ્તિ થઈ જાય, આગળની વાત તો કાંઈ...
પૂજ્ય ભાઈશ્રી :- જુદું પાડે છે. બધાથી એમને પહેલેથી જુદાં પાડ્યા છે. પણ એ લક્ષ તો આજે પણ એમના સમાજમાં નથી. એમના આશ્રમો છે, એમના મંડળો. છે ત્યાં બીજા લોકોની પ્રસિદ્ધિ કરી છે. બીજામાં ખાસ કરીને તો આ “અગાસવાળા લલ્લુજી મહારાજની પ્રસિદ્ધિ (બહુ કરી છે. પ્રભુશ્રી કહે છે અથવા “લઘુરાજસ્વામી કહે છે. “સોભાગભાઈની સાયલા સિવાય એટલી પ્રસિદ્ધિ નથી. “સાયલામાં તો એમના નામથી જ ટ્રસ્ટ છે. “સાયલા તો એમનું ગામ છે અને એમના પરિચયથી બીજા જે પેઢી દર પેઢીથી જે લોકો રહ્યા, પરિચયમાં આવ્યા એ લોકો જ પછી અહીં સુધી અત્યારે ચલાવે છે. સપુરુષના સમાગમ વિના બધી જે ગડબડ ઊભી થાય