________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
* “હું જાણનાર છું” તે પરમાર્થરૂપ નિશ્ચય છે. તેમાં જ્ઞાનત્વ સ્વભાવ જ્ઞાતવ્ય થાય છે.
જાણનાર જ જાણવામાં આવી રહ્યો છે તેવો મારો અસ્તિ સ્વભાવ છે. ખરેખર પર જાણવામાં ન આવે તેવો મારો નાસ્તિ સ્વભાવ છે. આમ સ્વભાવથી જ જાણનાર જણાય છે અને સ્વભાવથી જ પર જાણવામાં આવતું નથી.
જ્ઞાનનો સ્વભાવ પરને જાણવાનો નથી અને જ્ઞાન સ્વભાવથી જ પરને જાણતું નથી આ સ્વીકાર્યા વિના સમ્યકદર્શન કોના આશ્રયે થશે? !
અસ્તિનાસ્તિ સાપેક્ષ હોવાથી નાસ્તિધર્મને જાણતાં આખો ધર્મી ભગવાન આત્મા જણાય જાય છે. જ્યાં પરને નથી જાણતો ત્યાં તે જ સમયે જ્ઞાયક ને જાણવારૂપ જ્ઞાયક પરિણમી જાય છે. નાસ્તિઅસ્તિનો સમય એક છે. જ્યાં નાસ્તિધર્મને જાણ્યો ત્યાં અસ્તિ થઈ ગઈ. સ્વભાવિક જ્ઞાનમાં સ્વભાવ જણાય છે. તે જ્ઞાન સમ્યક એકાંતરૂપ જ છે. આ જ્ઞાનમાં અસ્તિનાસ્તિ નિર્વિકલ્પતા છે. આત્માનો એક એક ધર્મ અને તેનું સ્વરૂપ સમજે તો નિયમથી પરનું લક્ષ છૂટીને આત્માનું લક્ષ થાય છે.
નાસ્તિનું જોર આવશે તો અસ્તિનું જોર આવશે અને તેમાં અનુભવ થઈ જશે. આ ગેરંટી છે. અસ્તિનાસ્તિ અનેકાન્ત ડબલ એજીનના સ્થાને છે. નાસ્તિનું જોર નહીં આવે તો અસ્તિનું જોર નહીં આવે.
પર્યાયમાં પરના પ્રતિભાસની અસ્તિ; મારામાં તે જ્ઞાન પર્યાયની પણ નાસ્તિ; તેવા જ્ઞાયક ભાવની સદાય અસ્તિ;
આ અસ્તિી મતિ તેનું નામ સ્વાનુભવ. આત્મા આત્માને જાણે છે તેવા ભેદમાં પણ અનુભવનો નાશ થતો હોય તો પછી જ્ઞાન પર જાણે છે તે વાત એજન્ડા ઉપર ઊભી રહેતી જ નથી. જીવમાત્રને જે અનાદિથી જ્ઞાયક પ્રતિભાસ રૂપ છે તે સૌને ઉપયોગાત્મક થાય તેવી... આત્મ ભાવના સાથે વિરમું છું.
જિજ્ઞાસા: અમને તો બધુંય જણાય છે.
સમાધાનઃ એનો અર્થ એ થયો કે આત્માનો સ્વભાવ જ છે. પોતે જાણવું-દેખવું પોતાને બસ ! એ સ્વભાવ છે; પરને જાણવું દેખવું તો નહીં પણ પ૨નું કરવું તે તો બિલકુલ નહીં.
( શ્રી પ્રવચન રત્નો ભાગ-૨ પેઈજ નં. ૯૭).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com