________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત કાળી ચૌદશ કહે છે ને! દિવાળી પહેલાં તો એમાં અમાસનો અંધકાર હોય. તે અંધકારમાં પણ એક પ્રકાશનું કિરણ પ્રગટ થાય છે, ને તેમાં પરમાત્મા જણાય છે. પ્રત્યેક જીવને સામાન્ય જ્ઞાન ઉપયોગમાં આત્મા જણાય છે. હવે જ્યારે ઈન્દ્રિયજ્ઞાનમાં પર જણાય છે ત્યારે તે જ સમયે જ્ઞાન એવું પ્રગટ થાય છે, જેમાં આત્મા જણાય છે. કેમકે બધુંય જ્ઞાન જો ઇન્દ્રિયરૂપ થઈ ગયું હોય તો લક્ષણનો અભાવ થાય. સઘળુંય જ્ઞાન, સામાન્ય અપેક્ષાએ ઇન્દ્રિયજ્ઞાનરૂપ પરાશ્રિત થઈ ગયું હોય તો લક્ષણનો અભાવ થાય.
બીજું જે જડ અચેતન છે ઇન્દ્રિયજ્ઞાન તે સર્વથા ભિન્ન છે. રાગ તો અચેતન છે, પણ શાસ્ત્રજ્ઞાન અચેતન છે. માટે એના સદ્દભાવમાં પણ ! શું કહ્યું? રાગ અનાદિનો અજ્ઞાનીને પ્રગટ થાય છે, અને ઇન્દ્રિયજ્ઞાન પણ રાગને જાણનારું પ્રગટ થાય છે. તેવા નિમિત્તના સંયોગમાં ઉપાદાનમાં શું થાય છે?
કહે: ઉપાદાનમાં આત્મા જણાય છે. ક્ષણિક ઉપાદાન! ઉપયોગ તે સ્વચ્છ છે. તેને શુદ્ધ ન કહેવાય હજી પણ એને સ્વચ્છ કહેવાય. પણ એ જ્ઞાનમાં આત્મા જણાય છે ને પર જણાતું નથી તેમ જ્ઞાન અને જ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન કરતાં એ જ્ઞાનમાં “જાણનાર જણાય છે. ત્યારે એમ આવશે કે “ જાણનાર જ જણાય છે.” પર જણાતું નથી તે સમયે જ નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થાય છે.
સમ્યકષ્ટિ જીવોને આ પ્રકારે અનુભવ થયા છે, ને ત્યારે ઇન્દ્રિયજ્ઞાન રોકાય જાય છે. ક્ષણભર ભલે તે ઉપયોગ લબ્ધ થાય પણ વ્યાપાર ક્ષણભર રોકાઈ જાય છે.
એમ કહે છે કે તારા જ્ઞાનમાં પ્રત્યેક સમયે તારો ભગવાન આત્મા જણાય છે. “ના” પાડમાં! “ના”....પાડમાં! “હા.” પાડ. “હા.” પાડ તો હાલત થશે. “હા” પાડતાંવેત કોઈને અંતમુહૂર્તમાં અનુભવ થાય છે. કોઈને ટાઈમ લાગે, પણ “હા” પાડ કેઃ “ જાણનાર જણાય છે ને પર જણાતું નથી.” આવું અસ્તિનાસ્તિ અનેકાંત ભેદજ્ઞાન પરખ છે. આ ભેદજ્ઞાનનો પ્રકાર છે. આત્મા આત્મા ને જાણે તેમ જ પરને જાણે છે તે અનેકાન્ત છે કે નહીં? પણ
જ્યાં જ્ઞાન પરને જાણતું જ નથી તો પછી ત્યાં જ્ઞાનકથંચિત્ પરને જાણે તે વાત કયાં છે?! એને જાણે છે ઈન્દ્રિયજ્ઞાન અને આરોપ આવ્યો આત્મા ઉપર કે: આત્મા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com