________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ર
જાણનારો જણાય છે શૈય તો જ્ઞાયક જ છે. પણ ઈ.. ભૂલી ગયો કેઃ જાણનારો જણાય છે. ઈ ભૂલી ગયો. મિથ્યાત્વને જાણીને હું મિથ્યાદષ્ટિ એમ થઈ જાય. માટે જાણવાનું બંધ કરાવ્યું છે. તે પરાકાષ્ટાની વાત છે.
૮૧e
૮૧૬ યાકાર અવસ્થામાં એટલે શેયોને જાણવાની અવસ્થાનો કાળ છે એટલે આને નેપ્લિનને જાણવાની અવસ્થા રાખી. તે વખતે તને શું જણાય છે? જો નેપ્લિન જણાય છે તો જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. અને શેયાકાર અવસ્થામાં “જાણનાર જણાય છે” તો જ્ઞાનનું જ્ઞાનત્વ થઈ ગયું. તે મોક્ષમાર્ગમાં આવી ગયો. તેને આનંદનો અનુભવ વર્તે છે. તે વખતે જ્ઞયાકાર અવસ્થામાં “જાણનાર જણાય” રહ્યો છે. હર હાલતમાં સમયે સમયે, ઊંઘમાં હો કે જાગૃત દશામાં હો; સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ દશા હો...! યાકાર અવસ્થામાં “જાણનાર જણાય જ રહ્યો છે.”
૮૧૭ સમસ્ત વસ્તુઓનાં જે પ્રકારનો આકાર હોય તેવો જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. પદાર્થનો જે પ્રકારનો આકાર હોય તેવો જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. શેયોની આકૃતિનું જ્ઞાન થાય છે. આકૃતિ જ્ઞાનમાં આવતી નથી. જ્ઞાન થાય છે તેટલો સંબંધ છે; પરને જાણતો નથી તે એક જ વાત આવે છે. અરે ! “જાણનાર જણાય છે, મને પર જણાતું નથી. જણાવા છતાં જણાતું નથી.” પરનો આકાર જણાય છે પણ ખરેખર તેને જાણવારૂપ શેયની આકૃતિ ઉપર નજર છે. ત્યાં સુધી અનુભવ નહીં થાય અને શેયની આકૃતિ જે જ્ઞાનમાં જણાય તેટલી જ્ઞાનની આકૃતિને જાણવામાં રોકાશે તો પણ અનુભવ નહીં થાય પણ નિયત એવા જ્ઞાયક સ્વભાવને જાણતાં અનુભૂતિ થાય છે. જેને આકાર નથી છતાં નિયત આકાર છે.
૮૧૮
વળી જે જ્ઞાયકપણે જણાયો-આમાં બાર અંગનો સાર છે. વળી જે જ્ઞાયકપણે જણાયો, જ્ઞાયકભાવ જે જ્ઞાનગુણથી ભરેલો છે; તે જાણવારૂપે પરિણમે છે, કરવા રૂપે પરિણમતો નથી. શુભ ભાવને કરવું તે અજ્ઞાન છે. અને આવતાજતા શુભ ભાવને જાણવું તે વ્યવહાર છે. ભેદને જાણે તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com