________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૩૭ બે કારણો બતાવ્યાં છે. કાં તો પોતાની મેળે ચેતી જાય કે-મને “જાણનારો જણાય છે” તો તેને કોઈના ઉપદેશની જરૂર નથી. પૂર્વે દેશનાલબ્ધિ સાંભળી હોય તેથી (વર્તમાનમાં) વગર ગુરુએ પામે અને કાં સાક્ષાત ગુરુનો યોગ થાય ત્યારે પામે તેવાં બે કારણો શાસ્ત્રમાં છે.
૧૦૧૯
જીવ જ્ઞયલુબ્ધ થઈ જાય છે. યમાં એકાકાર થઈ જાય છે. એ પર શેય છૂટી જવું જોઈએ. એ. જ્ઞય થવાનું ક્યારે છૂટે? મને પર જણાતું જ નથી. શેયની સન્મુખ થયેલો ઉપયોગ જ્યાં સુધી પરને પ્રસિદ્ધ કરતો હતો તે બંધ થઈ જશે. ભીંત જણાતી જ નથી ને! “જાણનાર જણાય છે.' સામે ગાડું છે તે જણાતું જ નથી... એવો પ્રયોગ ઊપડતાં પરિણતી અંદરમાં આવી જાય છે. કારણ કે તેણે વ્યવહારે શેય-જ્ઞાયક સંબંધનો નિષેધ કર્યો છે. કહે-પર જણાતું જ નથી એવા વ્યવહારનો નિષેધ કરવો જ જોઈએ.
જિજ્ઞાસા:- તેમાં ઉદાસીનતા આવે છે-ઉદાસીન રહ્યા કરે છે.
સમાધાન - ઉદાસીન નહીં પણ તેમાં અનુભવ થાય છે. ઉદાસીનની વાત પછી કરો, પહેલાં ઉપયોગ અંદરમાં કેમ આવે તેની વાત કરો. બે પ્રકારના વ્યવહારનો નિષેધ કરવાનું બળ આવશે તો જ અનુભવ થશે. બે પ્રકારના વ્યવહારનો નિષેધ તમારે કરવો પડશે. વ્યવહારનો નિષેધ શા માટે કરવો પડે છે? કહે–વ્યવહારનો પક્ષ છે તેથી.. (અજ્ઞાનીને) વ્યવહાર ન હોય. થતાં પરિણામનો કરનાર છે તે વ્યવહાર નથી વ્યવહારનો પક્ષ છે અનુભવ પહેલા વ્યવહાર ક્યાંથી હોય? વ્યવહારનો પક્ષ છે તે વિપરીતતા છે. જ્યારે વ્યવહારનો પક્ષ છૂટે ત્યારે વ્યવહાર શ્રદ્ધા થાય-તે પણ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર નથી. પરિણામનો કર્તા નથી તેવો અકર્તા છું. કર્તાપણાનો પક્ષ હતો તે વિપરીતતા હતી. હું કર્તા નથી. અકર્તા છે તેમાં પહેલી (કર્તાબુદ્ધિની) વિપરીતતા ગઈ. તે વ્યવહાર શ્રદ્ધામાં આવી ગયો. આ હજુ વ્યવહાર શ્રદ્ધા છે નિશ્ચય શ્રદ્ધા નથી. ત્યાર પછી..
આહા ! ત્યાર પછી એક બીજા વ્યવહારનો નિષેધ કરવો પડશે. હું પરનો જાણનાર છું જ નહીં તેવા વ્યવહારના પક્ષનો નિષેધ કરવો પડશે. આમાં વિપરીતતા ગઈ અને વ્યવહાર શ્રદ્ધા થઈ–નિશ્ચય શ્રદ્ધા હજુ બાકી છે.
રાગનું કરવું તો નહીં પણ રાગનું જાણવુંય નહીં. રાગને જાણું છું તો તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com