________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬
જાણનારો જણાય છે આંખ જ બે છે એક પર્યાયને જોનારી અને એક દ્રવ્યને જોનારી. હવે જે દુઃખ થાય છે તે દુ:ખને જોવાનું બંધ કરી દે. દુઃખ છે તે જીવના પરિણામ છે તે પુદ્ગલના પરિણામ નથી પણ તેને જોવાનું બંધ કરી દે. જ્ઞાનમાં કંઈ કરવાનું ને ભોગવવાનું તો છે જ નહીં, જ્ઞાનમાં માત્ર જાણવું જ છે. કાં તો પરિણામને જાણે, કાં તો દ્રવ્યને જાણે. પરંતુ પર્યાયને કરે તેમ વસ્તુના સ્વભાવમાં નથી. કરવાની વાત ૩૨૦ ગાથામાં કાઢી નાખી છે. પર્યાય થઈ રહી છે તેને કરવું શું? હવે અહીં કહે છે જે થઈ રહી છે તેને જાણવાનું બંધ કરી દે. જો તારે આત્માનો અનુભવ કરવો હોય તો !!
નિષેધપૂર્વક વિધિમાં જવાય છે તે શેલી એક અપૂર્વ છે. વિધિપૂર્વક નિષેધ થાય છે તે પછી વાત. પહેલું તો નિષેધથી લે કેમકે વ્યવહારનો પક્ષ છે એટલે વ્યવહારના પક્ષવાળાને પહેલો વ્યવહારનો નિષેધ કરાવે છે. વ્યવહારનો નિષેધ કરતાં નિશ્ચય પ્રગટ થાય છે. માટે અહીં પાઠમાં પણ પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે તે પહેલું લીધું તારા પરિણામને જોવાનું બંધ કરી દે.
(તર્ક કરે છે, પરિણામને જોવા તો ખરા ને? પરિણામને જાણવાનો વિવેક તો કરવો ને? એમ કેટલાક વાતો કરે છે. આ ભૂલ છે તેમની. ભગવાને પર્યાયને જોવાનું કહ્યું નથી. ભગવાને તો આત્માને જોવાનું કહ્યું છે. આત્માને જોયા પછી પરિણામને જોઈશ તો વ્યવહાર છે બાકી તો અજ્ઞાન છે.
આ પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દે. કથંચિત્ નહીં. “સર્વથા' શબ્દ બહુ જોરદાર મૂક્યો છે. લાયક જીવને ચોટ લાગે. પરને જાણવાનું બંધ પછી થાય પરંતુ પહેલાં પરને જાણવાનો પક્ષ છૂટી જાય છે. અનાદિથી પરિણામને જાણવાનો પક્ષ છે કેમ કે પરિણામને જાણવું તે તો જ્ઞાનનો સ્વભાવ છે તો પરિણામને જાણું તો ખરો ને એવો અનાદિ કાળથી વ્યવહારનો પક્ષ છે તે અજ્ઞાન છે.
આવી ગાથા હાથમાં આવે છે ત્યારે પર્યાયને જાણવું તરત જ બંધ થતું નથી. પરંતુ પર્યાયને જાણવું તે મારો સ્વભાવ છે તેવો પક્ષ છૂટી જાય છે. પર્યાયને જાણવાનું બંધ થતાં થોડીવાર લાગે છે, તરત જ બંધ થતું નથી. પરંતુ પરને જાણવાનો જે પક્ષ છે તે છૂટી જાય છે. પરને જાણવું મારો સ્વભાવ છે તેમ માને છે તે જ પક્ષ છે – તે છૂટી જાય છે.
પરિણામને જાણતાં મને જ્ઞાન પણ થતું નથી અને સુખ પણ થતું નથી. માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com