________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૫૯ છે ત્યારે હું ક્રોધને જાણતો જ નથી ત્યારે પરિણામને જાણવાનો પક્ષ છૂટે છે અને પક્ષ છૂટતાં પક્ષાતિક્રાંત થઈને અંદરમાં જાય છે.
અહીંયાં પોતે ખુલાસો કરે છે કે પહેલાં પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરવાનું કેમ કહો છો... દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘાડીને એમ કેમ ઉપાડયું નહીં? એમ કેમ ઉપાડ ન કર્યો ? આમ નાસ્તિથી કેમ ઊપડયા? અસ્તિથી ઊપડવું હતું ને? આવો પ્રશ્ન થાય, અમને ઘણાં આવા પ્રશ્નો આવે છે.
કહે છે-જોવું છે દ્રવ્યને તો તેને કહે છે-દ્રવ્યને જોવા માટે પર્યાયાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. આ ઉપદેશ નથી આદેશ છે-બંધ કરી દે. આવી રીતે આદેશ આપશો તો આપને કર્તા બુદ્ધિનો દોષ નહીં લાગે? ભાઈ ! આ અમે નથી કહેતા, શબ્દ તને કહે છે. અમે ક્યાં કહીએ છીએ? અમારી પાસે વાણી તો છે નહીં. હુંય એમ જાણું છું અને તું પણ એમ જાણ કે વચન મને કહે છે.
આહાહા! વાણી નીકળી કે પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરી દે. સામે શિષ્યનો કાળ પાક્યો છે તો વાણી એવી આવે કે અનુભવ કેમ થાય તેની વિધિ બતાવી ઘે છે. આત્માને શબ્દ છે નહીં, શબ્દ પર્યાય આત્માની તો છે નહીં. આત્મા તો જાણનાર છે. જાણનાર છે તે વાણી કરે! પણ જ્યારે એનો કાળ પાકે છે ત્યારે વચન એવું નીકળે છે રામબાણ જેવું વિંધી નાખે છે. મિથ્યાત્વને અને જ્ઞાન અંદરમાં જતું રહે છે. વચન વચનના કાળે છે પણ તેવો યોગ બની જાય છે. સામે એવા પાત્ર ઝીલનાર છે તો ટંકોત્કીર્ણ વાણી આવી. પરિણામને જાણવાનું બંધ કરી દે. પરને તો તું જાણતો જ નથી. એટલે બંધ કરવાનું કહેતા નથી. તારા પરિણામમાં રાગ થાય તેને જાણી રહ્યો છો, તેને જાણવાનું બંધ કરી દે.
હવે અહીં કહે છે દ્રવ્યને–આત્માને જોવા માટે આ હેતુ છે. પર્યાયાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. ગજબ વાત છે ભાઈ ! આ અનુભવની વિધિ છે. આહાહા ! દૃષ્ટિના વિષયમાં આવી ગયો છે પરંતુ અનુભવ કેમ થાય તે જાણતો નથી. દષ્ટિનો વિષય પરિણામ માત્રથી ભિન્ન, પ્રમત્ત, અપ્રમત્તથી ભિન્ન જ્ઞાયક તે હું.. પણ જ્ઞાયકભાવના દર્શન કેમ થતાં નથી. જ્ઞાયકભાવ તે હું તેમાં આવી ગયો પણ જ્ઞાયક કેમ જણાતો નથી? તું પરને તો જાણતો જ નથી, પણ પરિણામને જાણતો નથી. તેવો અંદરથી જ્યારે નિષેધ આવે ત્યારે એક સમય એવો આવે છે કે પરિણામને જાણવાનું બંધ થઈ જાય છે. સહેજે બંધ થાય છે.... પરતું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com