Book Title: Jarnaro Janai che
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 315
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 264 જાણનારો જણાય છે કયાંથી જાય! આમાં (પાઠમાં) જ છે પાછું કથંચિ બંધ કરીને તેમ નહીં. કથંચિતને અત્યારે આડું-(વચ્ચે) લાવશીમા.. પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દે. એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે એટલે બે વડે નહીં એ એક વડે પણ નહીં. પર્યાય વડે નહીં અને પ્રમાણ વડ પણ નહીં પરંતુ એક વડ અર્થાત્ એકલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે તેને એકલાને ઉઘાડ. તારે આત્માનાં દર્શન કરવા હોય તો આ ભદ્રબાહુની ગુફામાં તને દર્શન થશે. આ એકલી માખણની-પ્રયોગની વાત છે. એકલા ઉઘાડલા દ્રવ્ય કહ્યું ને! પર્યાયાર્થિક ચક્ષુનો નિષેધ કર્યો. એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે. ત્રિકાળીને જાણવો છે. કેમ જણાય? જાણવાની રીત જ્ઞાની અજ્ઞાનીને બતાવે છે.. કેઃ આ રીતે જણાય. કહે છે શેયને જોવાની આંખ બંધ કરીને દ્રવ્ય જેનું પ્રયોજન છે તેવા દ્રવ્યાર્થિકનયની આંખ વડે જો. આ દ્રવ્યાર્થિકનયનો અર્થ થયો. એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે આ મૂળ કોટેશન આપ્યું..આચાર્ય ભગવાને પોતે. ભાષા તો જુઓ! અવસ્થાને જોનારી પર્યાયાર્થિક આંખ બંધ કરી દઈને દ્રવ્ય સામાન્યને જોનારી દ્રવ્યાર્થિક આંખ વડે જો. આદેશ આપ્યો જો તને દેખાશે. તને અવસ્થામાં સામાન્ય ભગવાન આત્મા “જાણનાર જણાય છે તે જણાશે.” કોલ કરાર કરીને કહીએ છીએ. કથંચિત્ જણાશે તેમ નહીં. જણાશે જ (સમ્યકએકાંત). અવસ્થાને જોનારી આંખ બંધ કરી દઈને તો પણ સામાન્યને જોનારી અવસ્થા તો રહેશે લ્યો! પર્યાય તો રહી ગઈ. પર્યાય ક્યાં જાય? પર્યાયનું લક્ષ છૂટી ગયું. પર્યાય રહેશે પણ પર્યાયને જોવાનો વિષય વિશેષ નહીં પણ સામાન્ય રહેશે. દ્રવ્યલિંગી મુનિની આ ભૂલ રહી ગઈ. મોક્ષમાર્ગ પ્રકાશકમાં બતાવે છે કેતે સમ્યકજ્ઞાન અર્થે પ્રવૃત્તિ કરે છે. અગિયાર અંગેનો પાઠી પાંચ મહાવ્રત ધારી ત્યાં સુધી આવ્યો છતાં પણ તે ભૂલ કે છ દ્રવ્યને જાણનારા આત્માને જાણું છું-તો કહે છે અજ્ઞાન રહી ગયું. હું જ્ઞાન સ્વરૂપ છું તેમ ન આવ્યું. સૌને જાણનારો જણાય છે તે જ પૂર્ણાહુતિ -: સમાસ: Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 313 314 315