________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮
જાણનારો જણાય છે જ્ઞાનનું જ્ઞય પણ નથી. વિકલ્પ-રાગ તે જ્ઞાનનું ઝેય નથી... જ્ઞાનનું ઝેય તો એક ચિદાનંદ આત્મા છે એમ લેતાં આખું શેય ફરી ગયું. રાગને જાણવાનું જે લક્ષ હતું તે ફરી જાય છે અને જ્ઞય ફરતાં જ્ઞાયકદેવ જ્ઞાનમાં જ્ઞય થઈ જાય છે. આ અનુભવની વિધિ છે.
સમયે સમયે જે શેયને જાણી રહ્યું છે તેને કુહાડો મારવાનો છે. તેને હવે જાણવાનું બંધ કરી દે. ભેદને જાણવું બંધ કરી દે. ભેદને જાણવું તે મારો સ્વભાવ નથી. ભેદને જાણતાં રાગી પ્રાણીને રાગ થશે. નિર્વિકલ્પ અનુભવ નહીં થાય. ભાઈ ! મિથ્યાત્વ નહીં છૂટે માટે તેને જાણવાનું સર્વથા બંધ કરી દે છે તેને જાણવાનું સર્વથા બંધ કરી દે.
પૂ. ગુરુદેવે પણ આચાર્ય ભગવાનનો આધાર મૂકયો. ગુરુદેવ પણ પોતાના ઘરનું કાંઈ નથી કહેતા. જોકે ઘરનું કહે તો પણ વ્યાજબી છે. પણ તેઓ તો આધાર આપે છે આચાર્ય ભગવાનનો. “લ્યો અહીંથી ઉપાડ્યું છે. પર્યાયને જાણવાનું બંધ કરી દે ત્યાંથી શરૂ કર્યું છે. દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘાડીને ત્યાંથી ઉપાડ્યું નથી.
કેટલાક એમ કહે તમે અસ્તિથી વાત કરો ને નાસ્તિનું શું કામ છે? પરિણામને જાણવાનું બંધ શું કામ કરાવો છો ? જ્ઞાયકને જાણવું તેવો ઉપદેશ આપો ને! તો કહે છે-જ્ઞાયકને જાણવું તેવો ઉપદેશ આપતાં તારું જે શલ્ય છે પરને જાણવાનું તે નહીં છૂટે અને પરને જાણવાનું શલ્ય છૂટયા સિવાય અંદરમાં નહીં જવાય. પહેલાં તારું શલ્ય કાઢ. જેમ પુણ્યથી ધર્મ થાય તે માન્યતા છોડી દે. પુણ્ય નહીં છૂટે, પુણ્ય છૂટતાં વાર લાગશે પણ પુણ્યથી ધર્મ થાય તે માન્યતા એક ઝાટકે છોડી દે. તેમ હું પરનો જાણનારો છું તે માન્યતા પહેલાં એક ઝાટકે છોડી દે. પરને જાણવાનું ભલે ચાલુ રહે પણ પરને જાણવાનો મારો સ્વભાવ નથી. પરને જાણતાં મને જ્ઞાનેય નથી ને સુખેય નથી. એમ પર્યાયો છે તે પર છે તેને જાણતાં જ્ઞાન અને સુખ થતું નથી. પરને જાણવા જે ઉપયોગ જાય છે તે વ્યાવૃત ક્યારે થાય કે હું પરને જાણતો જ નથી તેવી નિઃશંકતા અંદરમાંથી આવે-નિષેધ આવે શ્રદ્ધાનું બળ આવે કે હું પરને જાણતો જ નથી. હું તો જાણનાર ને જાણું છું.
હું રાગને જાણતો જ નથી. રાગ મને જણાતો જ નથી. જ્યારે રાગ જણાય છે (પ્રતિભાસે છે) ત્યારે રાગને જાણવાનો નિષેધ કરવો જોઈએ. ક્રોધ જણાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com