________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦
જાણનારો જણાય છે તેથી ભેદથી સમજાવે છે.
૧૦૨૨
શેયને જાણે છે માટે જ્ઞાયક આ વ્યવહાર દ્વારા પરમાર્થ પ્રતિપાદક છે. પણ તે વ્યવહાર અનુસરણ કરવા યોગ્ય નથી. નિષેધ કર કે શેયને હું જાણતો નથી.... આહા “ જાણનાર જ જણાય છે તેમાં આવી જા !!
૧૦૨૩
ઉપયોગ પ્રગટ થયો અને રાગ પણ પ્રગટ થયો. હવે તે ઉપયોગમાં સ્વપરપ્રકાશક શક્તિ હોવાને કારણે તે ઉપયોગમાં જ્ઞાયક પણ પ્રતિભાસે છે અને પુદ્ગલના પરિણામ રાગ પણ પ્રતિભાસે છે. સ્વચ્છતા એક છે તેમાં પ્રતિભાસ બેના છે–એવી એક સ્વચ્છતા છે. સ્વચ્છતાના બે પ્રકાર નથી. સારી વાત છે તેથી ફરીથી..
- દર્પણ છે તે સ્વચ્છ છે. હવે તેની સામે અગ્નિ છે. તે અગ્નિનો સ્વચ્છતામાં પ્રતિભાસ થાય છે. પણ અગ્નિ તેમાં ઘૂસતી નથી. એ સ્વચ્છતામાં તેનું દળ પણ પ્રતિભાસે છે. કેમ કે દળ અને સ્વચ્છતા તો એક વસ્તુ છે - તેથી દળ એમાં પ્રતિભાસે..પ્રતિભાસને પ્રતિભાસે છે. કેમકે દર્પણની અવસ્થામાં દળ રહેલું છે. તેથી તેની અવસ્થામાં દર્પણ જણાય. જણાયને જણાય. એમ આ જ્ઞાન ઉપયોગની અવસ્થામાં જ્ઞાયકનો પ્રતિભાસ સમયે-સમયે થઈ રહ્યો છે. અજ્ઞાની એકેન્દ્રિય જીવને બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. અને દેહાદિ અને પુદ્ગલ રાગાદિ તેનો પણ પ્રતિભાસ થાય છે.
(૧) જે સમયે ઉપયોગ પ્રગટ થયો... (૨) તે સમયે રાગ પણ પ્રગટ થયો.. (૩) તે સમયે રાગનો પ્રતિભાસ થાય છે...
(૪) તે સમયે જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે. આ સમયે તે જ્ઞાન સ્વભાવને પકડતો નથી અને રાગને પકડે છે અને જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે.
કોઈને એમ લાગે છે કે – આબાળ-ગોપાળ સૌને અનુભવમાં આવે છે તો સમ્યક્દર્શન તો થઈ ગયું ને? એમ પ્રશ્ન થાય. ભાઈ ! એ (જ્ઞાયકના) પ્રતિભાસને તું ઉપયોગાત્મક ક્યાં કરે છે? જે જ્ઞાનથી ભિન્ન જ્ઞય છે તેને ઉપયોગાત્મક કરી રહ્યો છે – તેથી ય-જ્ઞાયક સંકરદોષ થાય છે. પ્રતિભાસ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com