________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૩
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૦૨૯ ભેદબુદ્ધિ કરતા શું જણાય છે? રાગ-દેવ-ગુરુ-શાસ્ત્ર જણાય છે કે નહીં? કહે – નહીં. અભેદમાં તો આત્મા અનુભવમાં આવે છે... અનુભવમાં બીજું કાંઈ જણાતું નથી. તે સવિકલ્પમાં બેઠો છે-ભેદબુદ્ધિ કરે છે મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે - તેમ ભેદબુદ્ધિ કરતાં જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. વસ્તુ વિચારતાં હવે એટલો ભેદ નીકળી જાય છે. વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે એમ !
આત્મા રાગને કરે છે એ વાત તો દૂર રહો. પણ રાગને જાણે છે એ પૂર્વભૂમિકાનો વિકલ્પ નથી. પૂર્વભૂમિકામાં “જાણનાર જણાય છે. એટલું જ આવે છે. મને જ્ઞાનમાં આત્મા જણાય છે એમ અનુભવમાં આવે છે તે ભેદ છે તે જૂઠો છે. શુદ્ધ વસ્તુમાત્ર છે તેવો અનુભવ સમ્યકત્વ છે. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે તે છૂટી ગયું.
અનુભવ માટે પણ આ જ આવે છે અને અનુભવ પછી પણ આ જ આવે છે – વારંવાર શુદ્ધોપયોગ થાય છે ને? તેની પહેલાં તેને આ જાતનું પડખું આવે છે. શ્રુતકેવળી ધર્માત્મા (ધર્મકીર્તિ મુનિરાજ ) એ કહ્યું કે “ જાણનાર જણાય છે.' સવિકલ્પમાં એટલો ભેદ આવ્યો. પછી તો જે જાણનારો છે તે જણાય છે – તેવું બેપણું નીકળી જાય છે... જ્ઞાયક તો જ્ઞાયક છે.
જ્ઞાનની પર્યાયને વ્યવહાર શું? અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું ? રાગને જ્ઞાન જાણે કે પરને જાણે તે જ્ઞાનની પર્યાયનો નજીકનો વ્યવહાર નથી – તે દૂરવર્તી વ્યવહાર છે. જ્ઞાનની પર્યાયનો અનુભવ પહેલાં નજીકનો વ્યવહારજાણનારો જણાય છે. મારા જ્ઞાનમાં તો આત્મા જણાય છે તે નજીકનો વ્યવહાર આવ્યો ને? અનુભવ કરતાં એટલો વ્યવહાર પણ જૂઠો છે.
જ્ઞાન રાગને જાણે છે તે ઉપચરિત સદભૂત વ્યવહાર લીધો. જ્ઞાન આત્માને જાણે છે તે અનુપચરિત સદ્દભુત વ્યવહાર થયો તેનો અભાવ થાય છે. આનો (ઉપચરિતનો) અભાવ થઈને (અનુભવ ન થાય.) એ દૂરવર્તી વ્યવહાર અને એક નિકટવર્તી વ્યવહાર છે. વ્યવહારના બે પ્રકાર પાડ્યા. આઠમા કળશમાં નિકટવર્તી વ્યવહારની જ વાત કરી. પછી એ વ્યવહારને ઓળંગીને અનુભવ કરે છે – સમ્યકદર્શન થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com