________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૫૧ છે' તે લક્ષપૂર્વક જણાય છે. લક્ષપૂર્વક જણાય છે તેથી તેનું લક્ષ રહ્યા જ કરે છે. ગમે તેવી દશા હોય.... સવિકલ્પ... નિર્વિકલ્પની વાત જ નથી. જ્ઞાન સવિકલ્પ નિર્વિકલ્પ રૂપ થતું જ નથી. સામાન્ય જ્ઞાનોપયોગ તો જ્ઞાન. જ્ઞાનરૂપ જ રહે છે. આ કેવળ- જ્ઞાનની જાતવાળું જ્ઞાન છે. “જાણનાર જણાયા જ કરે છે.” એનું લક્ષ છૂટતું જ નથી –માટે બંધ થતો નથી. બીજે લક્ષ જતું નથી માટે (મિથ્યાત્વનો) બંધ થતો જ નથી.
૧૦૪૮ સાધકનો પર સન્મુખ થવાવાળો ઉપયોગ અભિપ્રાય વિનાનો થઈ ગયોએટલે અઉપયોગ થઈ ગયો. અને જે સમ્યકજ્ઞાન છે તે ક્ષાયિક જેવું જ છે. તેની જાત કેવળજ્ઞાન જેવી જ છે. જેવી રીતે કેવળી ભગવાન જાણે છે તેવી જ રીતે આ અંતર્મુખ થયેલું અતીન્દ્રિયજ્ઞાન જાણે છે. ક્ષયોપશમ અને ક્ષાયિક એટલો ફેર છે. જ્ઞાન તો એક જ પ્રકારનું હોય ને? આ જ્ઞાન કેવળજ્ઞાનની જાતનો અંશ છે. તેથી તેની જાણવાની સ્ટાઈલ – રીત બધી કેવળજ્ઞાન જેવી જ છે.
સાધકને ઇન્દ્રિયજ્ઞાન સંયોગરૂપે ભલે હોય પરંતુ તેમાંથી પ્રાણ નીકળી ગયા. પહેલાં તેને જ્ઞાન માનતો હતો. હવે તેમાંથી પ્રાણ નીકળી ગયા એટલે તે મડદું થઈ ગયું. પહેલાં પ્રાણ નીકળે છે પછી શરીર બળી જાય છે. તેવી રીતે બારમામાંથી તેરમું ગુણસ્થાન આવતાં જ આ ઇન્દ્રિયજ્ઞાનરૂપ મડદું ખલાસ થઈ જાય છે-ભસ્મ થઈ જાય છે. ત્રણ લોકમાં ખળભળાટ થાય તો ભલે થાય પણ આ જ્ઞાનનું સ્વરૂપ છે. “જાણનારો જણાય છે' એ એમ જ રહેવાનું છે.
૧૦૪૯ જેમ બળેલી સીંદરી સીંદરી જેવી તો લાગે છે. પણ તે હવે બાંધવાનું કામ ન કરી શકે. આવું ઇન્દ્રિયજ્ઞાન (સાધકને) રહી ગયું છે. સાધકનું ઇન્દ્રિયજ્ઞાન તે હવે બંધનું કારણ નથી રહ્યું. ઈન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનવું તે બંધનું કારણ છે. જ્ઞયથી બંધ ન થાય. અજ્ઞાનથી બંધ થાય છે. ઇન્દ્રિયજ્ઞાન જ્ઞય હોવા છતાં તેને જ્ઞાન માનવું તે જ અજ્ઞાન છે. સાધક તો મોક્ષમાર્ગી થઈ ગયો.... આત્મા થઈ ગયો.
સાધકને હવે જે રાગ... ઇન્દ્રિયજ્ઞાન આવે છે તેની કાંઈ કિંમત જ નથી. કેમકે તેના ઉપર લક્ષ નથી – લક્ષ વગર આવે છે. “જાણનારો જણાય છે' એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com