________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૨૪૮
આમાં નિષેધનું જોર નથી પણ વિધિનું જોર આવે છે. જેનો નિષેધ કરે તેની તરફ ઉપયોગ જતો જ નથી. અસ્તિ-નાસ્તિનું અનેકાન્ત તે મહામંત્ર છે.
આત્મા જ્ઞાયક છે પ્રમત્ત અપ્રમત્તપણે નથી. આ રીતે પરિણમનમાં દઢતા થાય ત્યારે અનુભવ થાય છે. ‘જાણનાર જણાય છે ને ૫૨ જણાતું નથી' તેમ દઢતા થતાં અનુભવ થાય છે. જેનો નિષેધ કર્યો છે તેનો વિકલ્પ દશામાં પણ આદર થતો નથી.
પરિણમીને નિષેધ કરવો તે જ યથાર્થ નિષેધ છે. શાસ્ત્રજ્ઞાનનો આત્માના જ્ઞાન વડે નિષેધ થાય છે. જ્ઞાન જેની સન્મુખ થયું છે તે જણાય છે. જેનાથી વિમુખ થયું તે કયાંથી જણાય ?
૧૦૩૭
જેને સ્વભાવનું જોર આવે તે જ વ્યવહારનો નિષેધ કરી શકે છે. વ્યવહારના પક્ષવાળો વ્યવહારનો નિષેધ કરી શકતો નથી. વ્યવહારનો નિષેધ સવિકલ્પ ભેદજ્ઞાનમાં કરવો જોઈએ. વ્યવહારનો નિષેધ કરતાં જ નિશ્ચયનું બળ આવે છે. નિશ્ચયનો પક્ષ આવતાં વ્યવહારનો નિષેધ થાય છે. આ બંને અવિનાભાવ છે.
હું જાણનાર છું કરનાર નથી. હું પરને ખરેખર જાણતો નથી.. મને જાણનાર જણાય છે' આવુ અંદરમાંથી બળ આવે છે. પ૨ને જાણવાનો નિષેધ થતાં તે વ્યવહારનો જ્ઞાતા રહે છે પણ વ્યવહારનો પક્ષ આવતો નથી.
6
૧૦૩૮
પ્રમત્ત-અપ્રમત્તરૂપ નથી-જ્ઞાયક છું તે ધ્યેયનો નિશ્ચય છે. ‘ જાણનારો જણાય છે' તે જ્ઞેયનો નિશ્ચય છે. અપરિણામી ધ્યેય છે પરિણામી શૈય છે.
૧૦૩૯
જ્ઞાન પર્યાયમાં સ્વચ્છતા હોવાથી (સ્વપર) બંનેનો પ્રતિભાસ થાય છે. મલિનતાનો તથા સ્વચ્છતાનો પ્રતિભાસ થાય છે. જેનાથી (જ્ઞાન) અભેદ હોય તે જ જણાય છે. જે ભિન્ન હોય તે વ્યવહારે જણાય છે – એટલે કે ૫૨ જણાતું જ નથી.
નિશ્ચયથી અજ્ઞાનીની પર્યાય પણ સ્વપ્રકાશક છે. હવે જ્ઞાનમાં ‘ જાણનાર જણાય છે' તેનો નિષેધ કરે છે તે પોતે જ પોતાને અન્યાય કરી રહ્યો છે. પોતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com