________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬
જાણનારો જણાય છે જાણી લે! તો ક્રોધ ભિન્ન ને જ્ઞાન ભિન્ન તેવું જ્ઞાન થશે. પછી અજ્ઞાન ટળી જશે.. અજ્ઞાનના નિમિત્તે થતો નવો કર્મબંધ રોકાઈ જશે... જૂનાની નિર્જરા થશે અને નવાનો સંવર થઈ જશે.
એક સમયમાં બે ભાવ થાય છે. એક પરિણામમાં બે કાર્ય થાય છે. એક અનુભૂતિ થઈ તો જૂનાની નિર્જરા અને નવાનો સંવર થઈ જાય છે-નવાં કર્મ રોકાઈ જાય છે. કર્મબંધનું નિમિત્ત કારણ ગયું તો નવાં કર્મ બંધાતા નથી. નિમિત્ત કારણ ગયું તો આત્મા તેની સામે જોતો નથીને તે ખરી જાય છે.
૧૦૩૩
ખડી ભીંતને સફેદ કયારે કરે? સફેદપણું ખડીમાંથી કાઢી નાખે અને ભીંતમાં લગાડે તો? તેમ “જ્ઞાયક નથી ત્યમ પર તણો' અંદરથી જ્ઞાન ઉખેડીને બહાર લગાડે ત્યારે પરને જાણે ને? કોઈ આત્મા પરને જાણતો નથી. બધાને જાણનાર જણાય છેબાળ-ગોપાળ સૌને “જાણનાર જણાય છે.' “જાણનાર જણાય છે” તેવા જાણનાર તો છો બધા. પરને જાણે તેવા કોઈ જાણનાર નથી - કોઈ આત્મા એવો નથી.
આત્મા કહેવો અને પરને જાણે તેમ કહેવું તે તો વિરૂદ્ધ વાત છે. “જ્ઞાયક નથી ત્યમ પર તણો” જ્ઞાયક પર તણો નથી તેમાં સમજે નહીં એટલે ટીકાકારે ટીકા કરી. હું પરને જાણું છું એમ તું માનીશ તો આત્માનો નાશ થઈ જશે. આબેહૂબ ટીકા કરી.
તે એમ માને છે કે – હું પરને જાણું છું તો આત્માનો જ નાશ થશે ને? કેમકે પરને જાણે તેવું આત્માનું સ્વરૂપ જ નથી - તેમ ટીકાકારે આ ગાથામાં કહ્યું. ટીકાકારે બહુ અભુતથી અદ્દભુત વાત કરી – જ્ઞાયક તો જ્ઞાયક છે તે નિશ્ચય છે.
આત્મા આત્માને જાણે છે તેમાં પણ સાધ્યની સિદ્ધિ નથી. જેમ આત્મામાં રાગને કરવાની શક્તિ નથી તેમ આત્મામાં પરને જાણવાની કોઈ શક્તિ નથી. શક્તિ નથી તો વ્યક્તિ કયાંથી થાય? જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી. પરને જાણતા આત્માનો નાશ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com