________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૮૫
૮૫૦
આત્માને જાણવો સૌથી સરળ છે. અને પરને જાણવું બળાત્કાર છે. ઇન્દ્રિયજ્ઞાન ઊભું કરે તો પર જણાય. શું કહ્યું? ઇન્દ્રિયજ્ઞાન ઊભું કરો તમે ત્યારે પર જણાય. આહા! “જાણનારો નિરંતર જણાય છે.” એના ઉપર એને જવું જોઈએ.
૮૫૧
એક મુમુક્ષુએ મને કહ્યું તમે નિષેધથી વાત બહુ કરો છો !? ભાઈ ! તારી વાત સાચી છે. પ્રમત્ત અપ્રમત્ત મારામાં નથી તેવો જ્ઞાયક છું આ મને મારા ગુરુના ગુરુએ કહ્યું છે. પ્રમત્ત અપ્રમત્ત મારામાં નથી તેવો જ્ઞાયક છું, તો કહે છે કે અસ્તિથી વાત કરો ને? કેઃ “નહીં.” નાસ્તિ વિના અસ્તિ સિદ્ધ નહીં થઈ શકે - કેમ કે નાસ્તિમાં તારી અહમ્ બુદ્ધિ છે.
જે તારામાં નથી તેને તું તારું માનીને બેઠો છે. એટલા માટે જ્ઞાનીઓ નિષેધ કરાવે છે. “નથી અપ્રમત્ત કે પ્રમત્ત” નથી ત્યાંથી ઉપાડ કર્યો.” એટલે
વ્યવહારનો નિષેધ તે વીર્યવાનનું કામ છે. ખૂબ જ વીર્યવાન હોય તે વ્યવહારનો નિષેધ કરી શકે છે. પછી નિશ્ચયે જાણનારો જણાય છે ને વ્યવહારે પરિણામ જણાય છે તો બન્નેમાં “છ” આવ્યું ને? બન્નેમાં શું આવ્યું? નિશ્ચયે જાણનારો જણાય છે ને વ્યવહારે પરિણામ જણાતાં નથી. હવે પરિણામ જણાતાં નથી તો દેવ, ગુરુ, શાસ્ત્રની તો વાત ક્યાં કરવી.
૮૫ર જ્ઞાન જ્યારે અભિન્ન થઈને જ્ઞાયકનાં દર્શન કરે છે ત્યારે તેને આનંદ આવે છે. દુઃખ સાધ્ય નથી પણ આનંદ સાધ્ય છે. સાધ્ય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય. જેનાથી પ્રાપ્ત થાય તે સાધન. પ્રાપ્ત થવા યોગ્ય પ્રાપ્ત થાય તે સાધ્ય. જેમકે રસોઈ કરવી હોય તો કૂકર એ તેનું સાધન છે, પણ... તેવા ભિન્ન સાધન સાધ્ય રૂપથી કાંઈ સિદ્ધિ થતી નથી, પરંતુ સંસારની સિદ્ધિ થાય છે. સાધન સાધ્ય એક જાતનાં હોય છે.
તો હવે અપર પ્રકાશક જ્ઞાન જેવું છે તેને અભેદપણે પ્રસિદ્ધ કરે તો તેને સાધન કહેવાય. અને શુદ્ધાત્માનાં દર્શન થાય તેને સાધ્ય કહેવાય. આવું સાધન સાધ્ય અભેદ હોવા છતાં એ જ્ઞાન પરની પ્રસિદ્ધિમાં રોકાણું હતું; આને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com