________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨
જાણનારો જણાય છે ને! નિર્વિકલ્પ ધ્યાનમાં તો “જાણનાર જ જણાય છે” પણ આ (નેપ્લિન) જણાય છે ત્યારે “જાણનાર જણાય છે” એમ લે ને! હવે જો આ પરય જણાય છે અને જો તે વખતે તને જાણનાર નથી જણાતો તો અજ્ઞાન થઈ ગયું.
૯૫૭ હવે જે અનાદિકાળનું અજ્ઞાન છે તે રાખવું છે કે અજ્ઞાનનો નાશ કરવો છે? કે અજ્ઞાનનો નાશ કરવો છે. જો તારે અજ્ઞાનનો નાશ કરવો હોય તો અમે કહીએ એમ કર. અમે કહીએ છીએ એમ એની પાછળ પાછળ તું ચાલ્યો આવ. આહાહા! અમારા જ્ઞાનની પાછળ પાછળ તું આવ. અમે કહીએ છીએ તે તું જરાક લક્ષમાં તો લે !
કે: યાકાર અવસ્થામાં જ્યારે પ્રતિમાજી જણાય છે ભગવાનની, ગુરુદેવ જ્યારે જ્ઞાનમાં જણાય છે, ત્યારે જાણનાર જણાય છે એમ લે ને! ગુરુદેવ જણાય છે અને અને જાણનાર જણાતો નથી એ તો અજ્ઞાન. એકાંત પર પ્રકાશક થઈ ગયું.
૯૫૮ જ્ઞાયકપણે જણાયો! જાણનારપણે જણાયો!! જાણનારપણે જણાયો, કરનારપણે તો જણાતો જ નથી. હું કરનાર છું એમ તો જણાતું જ નથી. કેમકે આત્મા કરનાર નથી. આત્મા જાણનાર છે તો જાણનારપણે જણાય છે. જેવો એનો સ્વભાવ હોય એવું જ જણાય ને?! સ્વભાવથી વિપરીત ના જણાય.
આઠ કર્મનાં બંધવાળો જણાય છે ને? કે: “ના.” કેમકે એ આત્મા છે. નહીં. હું શું કરું? આઠ કર્મનો સદ્ભાવ ન હોય તો તો એ મને જણાય. પણ આઠ કર્મનાં બંધવાળો તો આત્મા છે નહીં. કેમકે એ તો અબંધ છે. એટલે જેવું એનું સ્વરૂપ છે એવું મને જણાય છે. આહાહા ! આ રાગ-દ્વેષ, મોહવાળો જણાય છે? કેઃ “ના.” કેમકે એ જીવ વસ્તુનું સ્વરૂપ નથી. એ બીજું તત્ત્વ છે. બીજા તત્ત્વનો મારામાં અભાવ છે. આત્માને આસ્રવ બે ભિન્ન છે. અરે! નિશ્ચયનયથી એકવાર ભેદજ્ઞાનનો વિચાર તો કર. આત્મા અને રાગ બે એક નથી. બેય ભિન્ન ભિન્ન તત્ત્વો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com