________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૧ પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૦૦૫
જ્ઞાનીઓને થોડા શબ્દોમાં; થોડી વાતમાં ઘણું કહેવાની પદ્ધતિ હોય છે. થોડી વાતમાં ઘણું કહી દે છે. “જાણનારો જણાય છે, તેમાં બધું જ કહી દીધું.
આત્મા જાણનારો છે, કરનાર નથી, અને પરનો જાણનાર નથી. કારણ કે જાણનારો જણાય છે.
૧૦૦૬
નિશ્ચય ક્ષમાપના. મારા જ્ઞાનમાં આત્મા જણાતો હોવા છતાં હું દર્શન કરવા આવતો નથી, અથવા દર્શન લેતો નથી તે મારો અપરાધ છે. મને “ જાણનારો જ જણાય છે.” તે જ મને દર્શન આપે છે અને હું તેને જ જાણું છું, આજે હું આવી પ્રતિજ્ઞા કરું છું.
૧૦૦૭ “જાણનારો જણાય છે” તેમાં બધો માલ ભર્યો છે. જાણનારો જણાય ત્યારે તો અનુભવ થાય છે. જાણનારો ન જણાય તો અનુભવ ન થાય.
૧૦૦૮ શેયાકાર અવસ્થામાં “જાણનારો જણાય છે”, સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ “જાણનારો જણાય છે.” અરે ! નિગોદિયા જીવને પણ જાણનારો જણાય છે.” બધા જીવોને આબાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ ભગવાન “ જાણનાર જણાય છે.” એક જ્ઞાતા દ્રવ્ય આત્મા છે તે બધાના જ્ઞાનમાં જણાય છે.
બધાને “જાણનારો જણાય છે.” વિશેષ અપેક્ષાએ “જાણનાર જણાય છે.” ન જાણે તોય “જાણનાર જણાય છે” સામાન્ય અપેક્ષાએ “જાણનાર જણાય છે” બધી અવસ્થાઓમાં “જાણનારો જણાય છે. ” અરે ! પ્રભુ અજ્ઞાનીને પણ “ જાણનારો જણાય છે. તો પછી.. જ્ઞાની થાય પછી તો બધી અવસ્થામાં તો “જાણનારો જ જણાય છે” ને?
નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થામાં તો “જાણનારો જણાતો હોય અને સવિકલ્પમાં આવે તો આ બધું જણાય છે? “ના” તેમ નથી. નિર્વિકલ્પમાં પણ જાણનારો જણાય છે.” અને સવિકલ્પમાં પણ “ જાણનારો જણાય છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com