________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૨૯ જાણનારને જાણતાં બીજું જણાતું પણ નથી.
૯૯૫ “હું જાણનાર જણાય છે તેને જાણવાવાળો નથી. જાણનાર ને પણ જાણવાવાળો નથી. તો અભેદમાં બેસી જાય છે, અને સાક્ષાત અમૃતનું પાન કરે છે.
૯૯૬ નિષેધના વિકલ્પની સાથે સાથે વિધિનો એને ખ્યાલ છે એટલે નિષેધના વિકલ્પમાં વિધિનો વિકલ્પ બળવાન થતો જાય છે. જ્યાં સુધી નિષેધનું જોર નહીં આવે ત્યાં સુધી વિધિનો વિકલ્પ બળવાન નહીં થાય. “હું અકારક અવેદક છું”; જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. પર જણાતું નથી તેમાં જાણનારો જણાય છે એ ભાવ બળવંત થાય છે. સ. સારની છઠ્ઠી ગાથામાં આચાર્ય ભગવાને નિષેધથી જ વાત કરી. “નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી.” શરૂઆત “છે” થી કરી છે કે નથી” થી કરી છે? “નથી” થી કરી છે. કારણ કે જે આત્મામાં નથી તેની આત્મામાં સ્થાપ્ના કરી છે ને??
૯૯૭ “જાણનારો જણાય છે” તેવો સૂક્ષ્મ વિકલ્પ સ્વભાવના બળે નાશ થઈ જશે.
૯૯૮
જાણનારો જણાય છે” એ વચન ઉપર ન જવું. નહીં તો ભેદ દેખાશે. એના વાચ્ય ઉપર જા તો અભેદ દેખાશે.
૯૯૯ “જાણનાર જણાય છે અને ખરેખર પર જણાતું નથી” એનો અર્થ સ્વપ્રકાશક થયો. ખરેખર કેમ કહ્યું? પ્રતિભાસ તો થાય છે. આત્માનું જ્ઞાન આજ દિવસ સુધી પરને જાણવા ગયું જ નથી, અને જવાનું પણ નથી. રાહુ જોઈશ નહીં. આત્માનું જ્ઞાન આત્માને જાણે છે, એનો સ્વીકાર કરે તો અનુભવ થાય. “અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો જણાય રહ્યો છે બધાને.”
૧૦૦૦ અમૃત બહાર આવ્યું છે. અપૂર્વ ચીજ છે. રુચિનું મોઢું ઉઘાડું રાખવાનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com