________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮
જાણનારો જણાય છે ખુલ્લું કરવાની જરૂર નથી. “ના” ના બે પ્રકાર છે. એક નરક અને એક નિગોદ.
૯૧૬
સારા મોટા ઘરનું કહેણ આવે તો વધાવી લે છે ! ના પાડીશમાં! એમ આ પરમાત્માનું કહેણ છે કે તારો આત્મા પુણ્ય, પાપથી ભિન્ન પરમાત્મા અત્યારે પ્રગટ છે અને પ્રત્યક્ષ છે. તારી વારે વાર છે. તું “હા” પાડ એટલી જ વાર છે. “જાણનાર જણાય છે.” ત્યારે “હા” પાડવાનું કામ છે. બાકી બધું તો થઈ રહેશે. જેમ લગ્નના ચાંદલા કરવા જાય તો તમે “હા” પાડી ધો, બાકી બધું અમારા ઉપર છોડી દો.
૯૧૭
આ જાણનાર તે હું” આ જણાય તે હું નહીં. એમાં સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે. એવા ઊપજેલા આત્મકર્મના વિવેકપણાથી એટલે જુદાઈથી સ્વભાવ અને વિભાવ બન્ને ભિન્ન ભિન્ન છે. હતા તો સ્વભાવથી ભિન્ન પણ વિભાવની દૃષ્ટિથી સ્વભાવ તિરોભૂત થતો હતો. એટલે એકત્વ બુદ્ધિ હતી. હવે જ્યારે વિવેક જાગ્યો ત્યારે સ્વભાવથી વિભાવ ભિન્ન છે તેવા સ્વભાવનું ભાન થયું.
આહા! રાગથી ભિન્ન મારો આત્મા છે ઉપયોગમાં રાગ નથી, ઈ... સામાન્ય ઉપયોગમાં ઉપયોગ છે. ત્યાં તો શુદ્ધોપયોગ થઈ જાય છે. ઉપયોગમાં એટલે વર્તમાન વર્તતા જ્ઞાનમાં “જાણનાર જણાય છે.” “મારા જ્ઞાનમાં જાણનાર જણાય છે” રાગ જણાતો નથી. કેમકે એમાં રાગ નથી. જ્ઞાયકમાં તો રાગ નથી પણ ઉપયોગમાં રાગ નથી. મિથ્યાત્વની ચિકાશ ઉપયોગમાં આવતી નથી. તો જ્ઞાયકમાં તો કયાંથી આવે?
૯૧૮
| ઉપયોગની સ્વચ્છતા છે તેમાં ક્રોધાદિ જણાય (પ્રતિભાસ) છે. ઘણી જગ્યાએ આ વાત છે. ક્રોધાદિ જણાય તેથી કાંઈ જ્ઞાનમાં આવી જાય? દર્પણમાં કોલસો જણાય તેથી કાંઈ દર્પણ કાળો થઈ જાય! “પોતાના પુરુષાર્થથી કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધી”! જુઓ ! ભગવાન આત્મા તિરોભૂત થઈ ગયો હતો પણ તેનો અભાવ થયો ન હતો. આત્મા હોવા છતાં દેખાતો ન હતો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com