________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪
જાણનારો જણાય છે વિકલ્પ મનનો વિષય છે, પણ મારા જ્ઞાનનો વિષય કયાં રહ્યો! હું! “જાણનારો જણાય છે” તેમાં વિકલ્પ ઊઠે છે! અરે વિકલ્પ ઊઠે છે તેનું જ્ઞાન નથી તો પછી વિકલ્પની વાત કયાં માંડી?
જાણનારો જ જણાય છે” તો તેમાં જાણનારો પણ જણાય છે ને વિકલ્પ ઊઠે છે તે પણ જણાય છે!! પણ... વિકલ્પને જાણવાનો તારો સ્વભાવ જ નથી. વિકલ્પ બુદ્ધિનો મનનો વિષય છે, તે જ્ઞાનનો વિષય જ નથી. જ્ઞાનનો સ્વભાવ વિકલ્પને જાણવાનો નથી અને ઇન્દ્રિયજ્ઞાનના વિષયોને જાણતું નથી. જ્ઞાન તો સમયે સમયે એકલા શુદ્ધાત્માને જાણે છે.
૯૩૮
જિજ્ઞાસા: વિકલ્પ કેવી રીતે છૂટે? તો કૃપા કરીને સમજાવો?
સમાધાનઃ ભલે વિકલ્પ ઉત્પન્ન થતો હો! પણ વિકલ્પ જણાતો નથી, મને તો “જાણનારો જણાય છે. જેને જાણનારો જણાય છે તેને વિકલ્પની ઉત્પત્તિ જ ન થાય. તેને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય જો જાણનારો જણાય તો !!
૯૩૯
જિજ્ઞાસા: કોઈ પણ ઘોલન વિકલ્પ છે ને?
સમાધાન: એ વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી; જાણનારો જણાય છે ને !! વિકલ્પ મારા જ્ઞાનનું ઝેય પણ નથી. વિકલ્પ કર્તાનું કર્મ તો નથી, કારણ કે આત્મા અકર્તા છે. વિકલ્પને કરે નહીં પણ વિકલ્પને જાણે તેવું જ્ઞાન જ થતું નથી. આત્માના ભેદને જાણનાર ઈન્દ્રિયજ્ઞાન છે; મન છે. ઈ જ્ઞાનનું શેય જ નથી. ભેદ તો પરદ્રવ્ય છે ભાઈ ! પરદ્રવ્યને તો જ્ઞાન જાણતું નથી, અને સ્વદ્રવ્યને જાણવાનું છોડતું નથી. જાણનારો જણાય છે કે ને! તારી સાધ્યની સિદ્ધિ એમાં થઈ જશે.
૯૪૦
જિજ્ઞાસા: જેને સ્વપરનાં પ્રતિભાનો સ્વીકાર છે તે ૫૦ ટકા નિશ્ચયમાં આવી ગયો. બીજા પ0 ટકા કેવી રીતે આવે ?
સમાધાનઃ જે સ્વપરના પ્રતિભાસને સ્વીકારે એટલે કે પરને જાણતો નથી અર્થાત હું પરને જાણું છું તે શલ્ય નીકળી ગયું. હવે જે ઉપયોગ પ્રગટ થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com