________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪
જાણનારો જણાય છે કરે છે. જેમ ઇન્દ્રિયજ્ઞાન સર્વથા ભિન્ન છે તેમ ઉપયોગથી આત્મા સર્વથા ભિન્ન નથી.
cos જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને નિરંતર જાણે છે.” એમ કળશટીકાકારે આઠ નંબરના કળશમાં કહ્યું છે.
સામાન્યજ્ઞાન તો પ્રગટ થાય છે. સામાન્યજ્ઞાન એટલે વિશેષના સંબંધ વગરનું, વિશેષના અવલંબન વગરનું ને આહાહા! શાયકના અવલંબનવાળું પણ અભેદ થઈને નહીં. ભેદ થઈને એને જાણે છે. ભેદ રહીને પણ ભેદ અભેદને જાણે છે પણ પરને જાણતું નથી. પરને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન જુદું છે બાજી હાથમાં છે. જેણે અનુભવ કરવો હોય તેણે તો એમ લેવું જોઈએ કેઃ “મને તો જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી.” તો શુદ્ધોપયોગ થઈ જાય. જ્ઞાન અભેદ રહે તો પણ આત્માને જાણે, પણ પરને જાણે નહીં. ભેદબુદ્ધિ કરવા છતાં; આ જ્ઞાયકને આ ઉપયોગ લક્ષણ તેવો ભેદ કરને તો પણ તે ભેદ અભેદને પ્રસિદ્ધ કરે છે.
ભેદબુદ્ધિ કરતાં પણ આહાહા ! જીવવસ્તુ ચેતનાલક્ષણથી જીવને જાણે છે. પછી અભેદ થાય તો પ્રત્યક્ષ થઈ જાય છે. પરોક્ષપણે જાણે ત્યારે પ્રત્યક્ષ થાય છે. જો પરોક્ષનો સ્વીકાર નથી થતો અને મને આ જણાય છે. આ જણાય છે... તે તો બહિર્મુખ જ્ઞાન થઈ ગયું. બહિર્મુખ જ્ઞાન વખતે પણ એક ઉપયોગ અંતરમુખી રહેલો છે. એ અંતર્મુખ થઈને અભેદ થાય તો અનુભવ થઈ જાય. જાણે છે જ્ઞાન એટલે (સૌને) જણાય છે. સામાન્ય જ્ઞાન આત્માને જાણતું જ પ્રગટ થાય છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરતું જ પ્રગટ થાય છે જ્ઞાન જ્ઞાયકને જાણે છે તેવું જ જ્ઞાન પ્રગટ થાય છે. માટે પ્રત્યક્ષ થઈ જાય છે.
૯૦૭
અમિતગતિ આચાર્ય ભગવાન યોગસારનાં બોલ ઉપરથી “શરીર ખરેખર ઇન્દ્રિયજ્ઞાનથી જણાય છે. આત્મા ખરેખર સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવે છે.” રાગથી આત્મા ન જણાય. તેમ શાસ્ત્રજ્ઞાનથી આત્મા ન જણાય. પણ આત્મજ્ઞાનથી આત્મા જણાય તેવું આત્મજ્ઞાન પ્રગટ થાય છે. જેમ ઇન્દ્રિયજ્ઞાન અનાદિનું પ્રગટ થાય છે. તેમ આત્માને જાણનારું આત્મજ્ઞાન પણ અનાદિથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com