________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪
જાણનારો જણાય છે પણ જે આ વિરોધ થયો ને તે બહુ સારું થયું. વિરોધ ઊઠયો તે બહુ સારું થયું. પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ પછી અમારો જે વિરોધ કર્યો આ વાત ઉપર તે સારું થયું. વધારે સ્પષ્ટ થયું. એમાંથી આ સૂત્ર (સ્ટીકર) નીકળ્યું ને?
( શ્રોતા:- વધારે તો આ વાતની પુષ્ટી આપને લંડનમાં આવી.) જયસેન આચાર્યની ગાથા... “દર્પણ મેં આયે હુએ પ્રતિબિબ કે સમાન” અને ત્યાર પછી તે સમયે ૧૧૪ ગાથાના પ્રવચનોમાં ગુરુદેવ સ્વર્ગમાંથી આવ્યા. તેમાંથી એક શબ્દ નીકળ્યો કે “અનુકમ' અનાદિથી મેં કમભંગ કર્યો છે તેની માફી માગું છું. હે! ભગવાન તમારા માર્ગમાં કમભંગ કર્યો છે. “ જાણનાર જણાય છે ને ! સામાન્યને જાણે છે અને વિશેષને નથી જાણતો.” ત્યારે તો દ્રવ્યાર્થિક આંખ ખૂલે છે. મને તો આ વાતથી ચોટ લાગી.
એ વખતે તો ધૂન હતી. આખો દિવસ ઘરે સ્વાધ્યાયને ચર્ચા કરતા હતા. ૧૧૪ ગાથાના પ્રવચન છપાઈને આવી ગયા પછી ચર્ચા કરતા હતા. પૂ ગુરુદેવે એમાં બહુ ખુલાસો કર્યો છે. પેટ ભરીને બધું આપી ગયા છે બસ.
હું કરનાર નથી, જાણનાર છું. અને જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી.” આ બે વાત પણ એની જ છે. આ નિશ્ચય ગુરુની છે. શિષ્ય એમ કહે છે આ ગુરુએ મને કહ્યું કે હું તમને કહું છું. તમે જે વાત કરીને કે જીવો આમાં ભૂલ ખાય છે. શું? કે પહેલાં પરનો કર્તા હતો હવે કર્તા નથી, તેમ પહેલાં પરનો જ્ઞાતા હુતો હવે જ્ઞાતા નથી તેમ.
આ મૂળ છે, એક દ્રવ્યનો નિશ્ચય અને બીજો પર્યાયનો નિશ્ચય. આ સ્વભાવ છે, સ્વભાવ ખ્યાલમાં આવે તો એને પર્યાય દષ્ટિ છૂટીને જ્ઞાની થાય બસ એટલું જ છે.
જ્ઞાતાનું અવલંબન લેતાં સાક્ષાત જ્ઞાતા થાય છે. (શ્રોતા-બહુ સરસ. નવો જ્ઞાતા થાય છે એમ નથી.) જ્ઞાતા છે ઈ જૂનું છું, અને જ્ઞાતાનો સ્વીકાર કરે તો જ્ઞાતા થાય છે, ને અજ્ઞાન ટળી જાય છે, ને નવો મોક્ષમાર્ગ શરૂ થાય છે. જ્ઞાતા થાય છે તે નંબર પહેલો નથી. જ્ઞાતા છે તે નંબર પહેલો છે. “ જાણનાર છું, જ્ઞાયક છું; જ્ઞાતા છું.” “જો ચેદા સો અહમ્” જે ચેતનારો છે તે જ હું છું. ચેતનારાનો સ્વીકાર કરે તો જ્ઞાન ચેતના પ્રગટ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com