________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૮૭ જેમ સમ્યફદષ્ટિનો ઉપયોગ ભલે વ્યાપાર આદિમાં હો પણ તેની પરિણતી નિરંતર રહે છે. તેમ અનુભવ પહેલાં એક અપૂર્વ પક્ષ આવે છે તે પક્ષ બાદ કોઈને ત્રણ ચાર કલાકમાં અનુભવ થાય છે. કોઈને થોડીવાર પણ લાગે છે. વાર લાગે છે ત્યારે તેને પરિણતી તો ચાલુ રહે છે. તે અતીન્દ્રિય જ્ઞાનની પરિણતી નથી. તે પરિણતી અલગ છે, વચનાતીત છે, તેમ લખ્યું છે.
પંચાધ્યાય કર્તાએ લખ્યું છે, તે પોતે જાણે પણ કહી ન શકે. વચનથી અગોચર નિર્વિકલ્પવત, કેવળ સ્વાનુભવ ગમ્ય છે. આ જીવને અલ્પ કાળમાં સમ્યક્દર્શન થશે તેમ કેવળી ભગવાને જોઈ લીધું. “ચિરમ્ અચિરમ્”. નહીંતર ખરેખર તો નૈગમનય આદિ જે હોય તે નયપૂર્વક હોય. પણ આ તો અપ્રતિહત ભાવે ઊપડેલો છે. તે અપૂર્વ ચીજ છે. કોઈ વાણીથી કહી શકાય તેવી ચીજ નથી.
૮૫૪
જિજ્ઞાસા- પરિણામ પરિણામીથી થાય છે એમ આપે કહેલું; હવે હું ઉદાહરણ એક રજૂ કરું છું. કે અત્યારે હું સીમંધર ભગવાનનાં દર્શન કરવા જાઉં છું. આ પરિણામ મને થયા તે પરિણામનો કર્તા કોણ ?
સમાધાન - એ પરિણામનો કર્તા પરિણામ છે. તમે (આત્મા) તેના કર્તા નથી.
જિજ્ઞાસા- એટલે ક્યા પરિણામ?
સમાધાનઃ- એ તમને જે વિચાર આવ્યો ને કે હું સીમંધર ભગવાનનાં દર્શન કરવા જઈ રહ્યો છું; તે પરિણામ થયા કે નહીં ? તે પરિણામ કોણે કર્યા?
જિજ્ઞાસા- મારું જે મન છે તેણે કર્યા! સમાધાન- જો મને કર્યો તો મનથી તમારો આત્મા ભિન્ન છે. જિજ્ઞાસા:- તો એનાથી કર્મ બંધ થાય છે ને?
સમાધાન- હું કરું તો કર્મ બંધ થાય, અને હું જાણું તો પણ કર્મ બંધ થાય.
પણ હું પરિણામને કરતોય નથી ને પરિણામને જાણતો ય નથી. જાણનારને જાણું છું તો કર્મની નિર્જરા થાય ભાઈ! પરિણામ કર્યા વિના થયા કરે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com