________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૯૯
૮૯૪
તાત્ત્વિક સંબંધ કોની સાથે છે? જ્ઞાન અને આત્માની સાથે તાત્વિક સંબંધ છે. તેને જુદો પાડી શકાતો નથી. આવો છતો જીવંત સંબંધ દેખાતો નથી. જો એમ વિચારમાં આવી જાય કે શાસ્ત્ર નિમિત્ત છે તે વખતે મને જ્ઞાન જ જણાય છે. તેમ વારંવાર વિચાર કરે તો શેય જણાય છે કે જ્ઞાન જણાય છે? તેમ જો પ્રયોગ કરે તો અનુભવ લઈને ઊઠે તેવી વાત છે. પણ આ વાત ધારણામાં રાખવાની નથી.
પ્રેક્ટિકલ કરવાનું છે કે જાણનારો જણાય છે? કે રોટલી જણાય છે? રોટલી કરું છું તે તો અજ્ઞાન છે. રોટલી જણાય છે તે પણ અજ્ઞાન છે. શેય જણાય છે કે જ્ઞાન જણાય છે? જો થોડીક વાર “જ્ઞાન જ જણાય છે.” “ જાણનાર જ જણાય છે.” તેવો પ્રયોગ કર તો અનુભવ થઈ જાય છે.
૮૯૫ આત્માની રુચિપૂર્વક અભ્યાસ મનન-વાંચન કરે તો તેનું જ્ઞાન ઊઘડતું જાય છે અને ભાવભાસન થાય છે. જાણનારો જ્ઞાયક આત્માને, આત્માનું જ્ઞાન જાણે તેવા બે ભેદ નથી. સ્વ સ્વામિરૂપ અંશોનાં વ્યવહારથી શું સાધ્ય છે? “જાણનારો જણાય છે ... કાંઈ આગળ વધ્યો? ના કાંઈ આગળ વધ્યો નથી. અરે! તે વિકલ્પરૂપ જ છે. પણ બે ભેદ છોડીને આત્માને અભેદપણે જાણી લે.
૮૯૬
આત્મા આત્માને જાણે છે તેવો ભેદ છૂટી જાય છે. જ્ઞાયક જ્ઞાયક જ છે. તેમાં જ અનુભવ થાય છે; તેમાં ભેદ છૂટીને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે. તેથી જ્ઞાતા તે તો તે જ છે. “ જાણનારો તે જ્ઞાયક અને જણાયો તે પણ જ્ઞાયક જ છે.” પરિણમન થઈ જાય છે. પછી જ્ઞાતા, જ્ઞાન, શેયના ભેદ રહેતા નથી.
૮૯૭ જ્ઞાનીને ય જણાય છે ત્યારે જ્ઞાન તેમાં તન્મય થતું નથી. મારાપણે માનતું નથી. માટે યકૃત અશુદ્ધતા થતી નથી. જ્ઞાનીને ઉપયોગ બહારમાં આવે છે ત્યારે પણ મને “જાણનાર જ જણાય છે.” તેમ કરી ફરી નિર્વિકલ્પ થઈ જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com