________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૭૫ સવિકલ્પ દશામાં આવે છે! હવે શુદ્ધાત્માનો તેને અનુભવ થયો ત્યારે પરિણામને ભિન્ન જાણીને થયો; પછી સવિકલ્પ દશામાં પરિણામને જાણે ખરો?
અથવા માત્ર પરિણામને જાણે કે પરિણામનાં જાણવાના સમયે જાણનારને જાણે. પરિણામી ય પોતામાં ઉત્પન્ન થતાં જે શુભાશુભ ભાવો અથવા અશુદ્ધ પરિણામ તે બધા યોના ભાવો છે. એ શેયો જ્ઞાનમાં જણાય છે ત્યારે માત્ર પરદ્રવ્ય રૂપે નથી જણાતા પણ... તે સમયે પણ “જાણનાર જણાય છે.”
૮૨૬
જ્ઞાયક આત્મા અત્તરદૃષ્ટિ વડે અનુભવમાં આવ્યો એની લીનતા ના રહે તેથી બહાર આવે છે, સવિકલ્પ દશામાં. અનાદિ મિથ્યાદષ્ટિ જીવને અનુભવ થાય છે તે નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. વિકલ્પમાં જન્મ થતો નથી. પણ એ જે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ વધારે વખત ટકતો નથી અને એ સવિકલ્પ દશામાં આવે છે ત્યારે પરિણામો જણાય છે. દેવ, ગુરુ, શાસ્ત્ર પર પદાર્થો વગેરે શેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે. તે સમયે પણ તે તો જાણનારને જાણે છે તે તો જ્ઞાયકને જાણે છે.
૮૨૭
કર્તા કર્મનું અજ્ઞાન કર્તાકર્મના જ્ઞાન વડે જાય છે; એમાં ખૂબી છે. એમાં કેટલું મૂકી દીધું છે.
પહેલા પારામાં અકર્તા કહ્યો..! બીજા પારામાં કર્તાકર્મનું અનન્યપણું કહ્યું...! પૂરું અહીં થાય છે, ધ્યેયપૂર્વક જ્ઞય થાય છે. શું આ પાઠમાં થાય છે. ઓલો પહેલો પારો તેમાં ધ્યેયનો પાઠ છે.
જયસેન આચાર્ય ભગવાન ૮૦ નંબરની (પ્ર. સાર) ગાથામાં કહે છે “ મોહ ક્ષપણ થવામાં સમર્થ થયો, પણ મોહ ક્ષપણ થયો? મોહ ક્ષપણ થયા વિના કામ ન આવે. માટે આમાં “અકર્તા + કર્તા કર્મનું અનન્યપણું = અનુભૂતિ છે.” આ શબ્દો બોલ્યો હતો.
અકર્તા એટલે ધ્યેયમાં આવી ગયો. હવે જ્યાં ધ્યેયનું ધ્યાન થયું તો પ્લસ થયો કે નહીં? ઈ. જણાણો કે નહીં? “જાણનારપણે જણાયો. તો જાણનારને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com