________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૧
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
કરનાર છું તે બુદ્ધિ છૂટી ગઈ. “હું તો જાણનાર છું” અને “જાણનાર જણાય છે” તો અંદરમાં આવી ગયો. જ્ઞાન જ્ઞાનથી મળી ગયું. જ્ઞાયકે પર્યાયને અંદર ખેંચી લીધી. પર્યાય જ્યાં જ્ઞાયકની સન્મુખ થઈ તો જ્ઞાયકનું એવું બળ છે કે તેને ખેંચી લે છે, બસ અંદર આવી ગઈ. નદી સમુદ્રમાં મળી ગઈ. પાણી પાણીમાં મળી ગયું.
૮૪૨
આ આત્મા પોતાનાં વિજ્ઞાન ધન સ્વભાવથી શ્રુત થયો થકો ઉદાસીન જ્ઞાતા દષ્ટા અવસ્થા તેને છોડતો થકી... ટ્યુત થયો થકો. પ્રચુર વિકલ્પ જાળના ગહન વનમાં દૂર ભમતો હતો. જો એ.. દૂર જાય તો પણ ક્યાં સુધી જાય? કે વિકલ્પ સુધી જાય. દેહમાં કે કર્મમાં તો જાય જ નહીં તે તેની લિમિટ છે. વિકલ્પને જાળ કહી ને!! ઇન્દ્રજાળ.
વિકલ્પ જાળના ગહન વનમાં દૂર ભમતો હતો તે ક્યાંયનો ક્યાંય નીકળી ગયો હતો અનંતકાળથી; તે હવે ભેદજ્ઞાન વિવેકરૂપી માર્ગ દ્વારા “હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું.” મારા જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે, જ્ઞાયક જ જણાય છે; બીજું કાંઈ જણાતું નથી તે ઢાળવાળો માર્ગ છે. અંદર જવામાં તે ઢાળવાળા માર્ગે આવે છે.
“હું જ્ઞાન સ્વભાવી આત્મા છું.” જ્ઞાતા જ છું ને “ જાણનાર જ જણાય છે મને પર જણાતું નથી.” એ ઢાળવાળો માર્ગ મળ્યો એટલે જ્ઞાન અંદર આવી અનુભવ કરે છે. “ જાણનાર જણાય છે પર જણાતું નથી.” વિકલ્પ જણાતા નથી પછી પરની વાત તો ક્યાં કરવી !!
૮૪૩ ક્યારે વિકલ્પનો અભાવ થાય? પોતે જ્ઞાતા છે, કર્તા નથી એ પહેલું નક્કી કરવું જોઈએ. પછી જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, વિકલ્પ જણાતો નથી. પછી વિકલ્પનો કરનાર તો નહીં પણ વિકલ્પનો જ્ઞાતા એ નહીં મને વિકલ્પ જણાતો નથી, મને તો જાણનાર જણાય છે. તેનાથી જુદો છું ત્યારે વિકલ્પ તૂટી જાય છે. હું તો, જ્ઞાનમય છું ને!! અને મને જ્ઞાનમય આત્મા જણાય છે બસ. પછી વિકલ્પ ક્યાંથી ઉત્પન્ન થાય. સ્વાશ્રિત વિકલ્પ ઉત્પન્ન થાય !?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com