________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬
જાણનારો જણાય છે પોપાબાઈનું રાજ નથી આ. રાઈએ રાઈનો હિસાબ છે. સાધક જાણે છે અમારી પરિણતી મેલી છે. હજુ પૂર્ણ અરિહંત દશા થઈ નથી. ધ્યેયને જાણ્યું, સાધ્યને પણ જાણી લીધું; પણ સાધક રહી ગયો છું. શું કહ્યું?
ધ્યેયને જાણી લીધું મેં. દ્રવ્ય દૃષ્ટિએ પૂર્ણ શુદ્ધ પરમાત્મા છું અને સાધ્યને પણ જાણ્યું. સિદ્ધ પર્યાય સાધ્ય છે. સાધ્ય એટલે જ્ઞાનમાં ય આવી ગયું છે. પણ હજુ સુધી સાધકની સ્થિતિ...!! અમારી સ્થિતિ પહોંચી નથી. સાધક અવસ્થામાં છું; સાધ્ય અવસ્થા થવાની છે... પણ એને ઉતાવળે નથી તેમ પ્રમાદ પણ નથી. અમે તો આત્માના આશ્રયે પડ્યા છીએ. “બધું થવા યોગ્ય થશે ને જાણનારો જણાયા કરે છે.” એક કળશમાં ત્રણ વાત છે.
૬૫૭
જે ઉપયોગમાં પ્રતિમા જણાય છે તે જ ઉપયોગમાં “ જાણનારો જણાય છે.” વિશેષ શેયાકાર જ્ઞાનમાં જાણનારો જણાતો હોવા છતાં મને નથી જણાતો ત્યારે તિરોભાવ થઈ જાય છે.
૬૫૮
શેય નથી જણાતું પણ તને “જાણનારો જણાય છે.” શેય થી વ્યાવૃત થઈ જા તો તને જ્ઞાયક જણાશે. જ્ઞાન નથી બદલાવવું વિષય બદલી નાખ.
૬૫૯
જે જ્ઞાનની પર્યાયમાં જાણનારો જણાય છે તે જ્ઞાનની પર્યાયનો આત્મા કર્તા નથી. માટે જે નવો જાણનાર થયો તે પણ જ્ઞાનની પર્યાયનો કર્તા નથી. કર્તા તો નથી પણ ખરેખર જાણતો પણ નથી. જાણવાની ક્રિયાનું અહમ્ જેમાં થયું છે તેવા જાણનારને જાણે છે.
બીજો જણાતો જ નથી, જે જણાય છે તે જાણનારો જ છે. તે અતિ, નાસ્તિ એનકાંત છે.
૬૬૧
આ ઈન્દ્રિયજ્ઞાનથી મોહની ઉત્પત્તિ થઈ છે. અને ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે. તમે “ના” પાડો છો, “હું પરને જાણતો નથી” તો બિચારું ઇન્દ્રિયજ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com