________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪
જાણનારો જણાય છે પ્રત્યક્ષ પ્રતિભાસ થાય છે. જણાય તો છે પણ એને જાણતો નથી...! જણાય છે.. પણ એને જાણતો નથી. એ બહારમાં આને જાણે છે. એ જ્યારે અંદરમાં કાળ આવે છે ને “જાણનાર જણાય છે...” “જાણનાર જણાય છે”,
જાણનાર જણાય છે” એવું ઘોલન અંદરમાંથી જ્યારે ઊપડે છે એમાં જ્ઞાન નવું પ્રગટ થાય છે. અનંતકાળથી નહીં થયેલું. આ મંત્રમાં જ હોં!! આ મંત્રમાં બાર અંગનો સાર છે. બહારથી સાધારણ લાગે છે. “ જાણનારો જણાય છે. જાણનારો જણાશે એમ નહીં. જાણનારો જણાય છે બધાને”! પ્રત્યેક સમયે જાણનાર જણાય છે... ને રાગ જણાતો નથી. છ દ્રવ્ય જણાતાં નથી. આહા ! છ દ્રવ્યને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન જુદું છે. અને સામાન્ય ઉપયોગમાં આત્મા જણાય છે એ જુદી ચીજ છે. સમય એક, પર્યાય એક; ભાગ બે છે. અજ્ઞાનીને પણ બે ભાગ છે. બાળગોપાળ સૌને અનુભવમાં આવે છે; એમ કહ્યું ને!
૭૩૫
જાણનાર છું અને જાણનાર જણાય છે ત્યાં અજ્ઞાન કેવું?
૭૩૬
આત્માનો સ્વભાવ જ્ઞાન છે, જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવાનો છે. “જાણનારો જણાય છે” એમ લેશો તો ઇન્દ્રિયજ્ઞાન રોકાઈ જશે. જ્ઞાન શયોથી પાછું વળી જશે. આ રીતે પર લક્ષ છોડીને, જ્ઞાનને સ્વભાવ તરફ વાળીને... જાણનારને જાણવામાં રોકવાથી, જાણનારને જાણ્યા કરવાથી તમારું કામ થઈ જશે, તમારું હિત થશે.
જાણનારને જાણવાનો પુરુષાર્થ કરતાં બહિર્મુખી જ્ઞાન રિબાઉન્ડ થઈને અંતરમુખી થશે. સ્વભાવ સન્મુખ થશે. આ ભેદજ્ઞાનની વિધિ છે.
૭૩૭ પર્યાયની ઉપેક્ષા થઈ શું અને જાણનારો જણાયો શું ?!
૭૩૮
જ્ઞાન જણાય છે તેમ લેતા “જાણનાર જણાય છે” તેમ આવી જાય છે. કેમકે વસ્તુ એક છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com