________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૫.
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત જ્ઞાયક છે. તે ચેતનાર જાણનાર છે. અને એક બાજુ શેયોની રેતી છે. વચ્ચેથી ભ્રમ ઉત્પન્ન કરીને માને છે કે “મને આ બધું જણાય છે.” તે ભ્રમણા છે. કોરી ભ્રમણા છે. એને તો “ જાણનારો જણાય છે” તે વાસ્તવિકતા છે.
૭૯૦ પરિણામ થયા કરે છે ને જાણનારો જણાયા કરે છે” ત્યાં સુધી પહોંચતો નથી તેથી અનુભવ થતો નથી.
૭૯૧ જિજ્ઞાસા- જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ લેવા છતાં અનુભવ કેમ થતો નથી !
સમાધાનઃ- જાણનાર અને જાણનાર અભેદ ભાવે છે. ભેદરૂપ નથી તેમ લઈ લે !
૭૯૨ જરાક લક્ષમાં તો લે! “જાણનાર જણાય છે” માટે આત્માનું નામ જાણનાર છે.
૭૯૩ “જાણનાર તો જાણનાર છે.” આમ જાણનારને જાણવારૂપે પરિણમવું તે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે.
૭૯૪ બંધનું કારણ એ છે કે હું પરને જાણું છું અને જાણનાર જણાતો નથી.
૭૯૫ સમયે સમયે જાણનાર જણાય રહ્યો છે. સમયે સમયે જ્ઞાયક ભગવાન આત્મા તરવરે છે. તેના ઉપર લક્ષ રાખીને અમે તને વાત કરીએ છીએ કે આત્મા દંડાતો નથી. પરિણામમાં દંડ છે તેનો ઉપચાર આત્મામાં કરીને તેને શ્રદ્ધામાં લઈ લીધો છે તે ભૂલ છે.
૭૯૬ રાજમલજી સાહેબે લખ્યું કે મિથ્યાત્વના પરિણામનો વિચાર સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કોઈક કરે છે. મનુષ્ય અવતાર મલ્યો તો પણ આ મિથ્યાત્વનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com