________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૩૯ છે અને તે જ્ઞય છે.
૬૭૨
પર પદાર્થના લક્ષે જ્ઞાન ન થાય. સંતોના શબ્દો છે. વિષય અને કષાય તેના ઉપર ઘણું ઘોલન ચાલ્યું. “હું જાણનાર છું, કરનાર નથી. જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી.” એમાં ઈ. મંત્રમાં જ છે. બે વાત છે. હું પરને જાણતો નથી તેમાં વિષય જીતાય છે. હું કરતો નથી તેમાં કષાય જીતાય છે. તેમાંથી જ નીકળે છે. તેમાં જ મોહ જીતાય છે. મોહના નાશનો ઉપાય છે.
૬૭૩
આંખ ભલે પર સામે હોય, આંખનો ઉઘાડ ત્યાં છે, અને જ્ઞાનનો ઉઘાડ અંદરમાં છે. “મને તો જાણનારો જણાય છે” તો જ્ઞાન અંદરમાં વળી જાય છે, અને અનુભવ થઈ જાય છે.
૬૭૪
સામાન્યનો આવિર્ભાવ થાય તો અનુભવ થયો, પછી તે સવિકલ્પ દશામાં આવે છે, ત્યારે બન્નેનો આવિર્ભાવ થાય છે. અર્થાત પ્રમાણ જ્ઞાનમાં બન્નેનો આવિર્ભાવ થાય છે. સામાન્યનો તો આવિર્ભાવ રહે, અને વિશેષ જ્ઞયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય. પણ....જ્ઞાયકનો તિરોભાવ થાય તો શુદ્ધનયથી આત્મા ટ્યુત થઈ જાય છે.
થોડી સૂક્ષ્મ વાત છે, પણ હિતરૂપ છે. “જાણનાર જણાય છે; ખરેખર પર જણાતું નથી.” સંધ્યાબેન! આ સંકોત્કીર્ણ વાત છે. (શ્રોતા બરાબર છે.) કોઈ માનો કે ન માનો !! અનુભવ કરવો હોય તેની આ રીત છે. પ્રકાશક વિના સ્વપર પ્રકાશકનો વ્યવહાર જ ઊભો ન થાય.
૬૭૫ જિજ્ઞાસાઃ છ દ્રવ્યને જાણે છે તેને અધ્યવસાન કેમ કહ્યું?
સમાધાન: એનું જ્ઞાન જાણે છે તો આત્માને, અને એનો નિષેધ કરે છે કે મને આત્મા જણાતો નથી, અને મને છ દ્રવ્ય જણાય છે. એટલે પોતાને જાણવાનું છોડી ને... શુદ્ધનયથી ટ્યુત થયો થકો તે અજ્ઞાની બની જાય છે. એકલા છ દ્રવ્યને જાણે છે માટે અજ્ઞાની નહીં. પોતાને ચૂકીને છ દ્રવ્યને જાણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com