________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪
જાણનારો જણાય છે આવ્યું? લક્ષ એકનું પ્રતિભાસ બનો. કેવળીને લક્ષ આત્માનું પ્રતિભાસ બનો. સાધકને લક્ષ એકનું (સ્વનું) પ્રતિભાસ બનો. અજ્ઞાનીને લક્ષ પરનું એકનું છે અને પ્રતિભાસ બેનો છે. માટે પ્રતિભાસ બેના હોવા છતાં એનું લક્ષ કયાં જાય છે? એમ! તેનું લક્ષ પર ઉપર જાય છે? કેઃ “જાણનાર જણાય છે પર જણાતું નથી.” તેના પર જાય છે તો તો ભેદજ્ઞાન થઈ ગયું.
જ્ઞાનની પર્યાય રૂપર પ્રકાશક છે. સ્વપરનો પ્રતિભાસ થાય છે, માટે ભેદજ્ઞાન થઈ શકે છે. જ્ઞાનની પર્યાય પ્રમાણ જ્ઞાનનું પ્રમાણ છે. તે પ્રમાણજ્ઞાનની પર્યાય છે. બેનો પ્રતિભાસ છે માટે તેને પ્રમાણજ્ઞાન કહેવાય. ઈ. પ્રમાણજ્ઞાનમાંથી “જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી.” જણાય છે પણ હું એને જાણતો નથી. જણાય! પણ જાણે નહીં. જણાય લોકાલોક પણ જ્ઞાનીને તેના ઉપર લક્ષ નથી.
૬૪૮
જેમ ખોરાક લઈને ચમચી છોડી ઘે છે, તેમ ય જણાય છે તે ચમચી હતી. “જાણનાર જણાય છે” તે ખોરાક છે.
૬૪૯ શેયના જાણવા કાળે પણ જાણનાર જ જણાય છે.” જ્ઞયાકાર અવસ્થામાં પણ જાણનારપણે જણાય છે. યાકાર અવસ્થામાં જ્ઞય જણાય છે તેમ ન લખ્યું, ત્યારે પણ જ્ઞાયક જણાય છે તેમ લખ્યું.
૬૫૦ મહાસિદ્ધાંત = પર જણાય છે ત્યારે પણ “જાણનાર જણાય છે” સ્વ જણાય છે ત્યારે પણ “જાણનાર જણાય છે.” સર્વ હાલતમાં “જાણનાર જ જણાય છે.”
૬૫૧
જાણનારો માટે પોતે કર્તા, જણાયો માટે પોતે જ કર્મ, આત્મા કર્તા અને જ્ઞાન પર્યાય કર્મ તેવો ભેદ નહીં. આત્માને આત્મામાં રહી આત્મામાંથી જાણું છું. પછી નથી જાણનારને જાણતો, નથી જાણનાર માટે જાણતો એ કારકના ભેદ પણ છૂટી જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com