________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૪૧૭ જે સામાન્યનું વિશેષ છે. તે આત્માની પર્યાય છે. વિશેષ એટલે પર્યાય-પરિણામ. તે વિશેષ કોનું છે ? આત્માનું છે. માટે તે વિશેષમાં આત્મા જ જણાય છે. પણ તે વિશે ષમાં બીજાનું સામાન્ય જણાતું નથી. ને બીજાના વિશેષો પણ જણાતાં નથી. બીજાના સામાન્ય અને વિશેષ જણાય છે તે જ્ઞાન મારું નથી. જે જ્ઞાનમાં આત્મા જણાય છે તે જ્ઞાન મારું છે. તેમાં અનુભવ થઈ જાય છે.
“જાણનારો જણાય છે” બીજું કાંઈ જણાતું નથી. તેમાં અનુભવ થાય છે. આ અનુભવની ગાથા છે હોં !! આબાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે.
૪૧૮
કહે છે કે એમ એવો સ્વભાવ પ્રત્યેક જીવને; પ્રત્યેક સમયે જેમ ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે, રાગ પણ પ્રગટ થાય છે, તેમ ત્રીજો અંશ જ્ઞાન પણ પ્રગટ થાય છે. બધાને સામાન્ય જ્ઞાન પ્રગટ થાય છે. ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું નથી. પણ સામાન્ય જ્ઞાન ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે.
જે અનાદિ અનંત અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષથી રહિત છે, બધા જીવોમાં ઉપયોગ હોય છે, સર્વ અવસ્થામાં હોય, અને સર્વને હોય.
કોઈને જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય ને.... કોઈને જ્ઞાનનો ઉપયોગ પ્રગટ ન થાય તેમ છે નહીં. ઉપયોગ તો પ્રત્યેક જીવને ઉત્પાદ્રરૂપ થાય છે. તે જ્ઞાનની ક્રિયા છે. તે જ્ઞાનની ક્રિયામાં એ જ્ઞાન જેનું છે તે એમાં જણાય છે. એ જ્ઞાન રાગનું નથી માટે રાગ જણાતો નથી અને જ્ઞાયક જણાય છે તો જ્ઞાન પ્રગટ થઈને શાશ્વત રહે છે. એવું ને એવું જ્ઞાન. આબાળ-ગોપાળ સૌને સદાકાળ પોતાનો ભગવાન આત્મા અનુભવમાં આવે છે. લખનારને ખ્યાલ છે કે હું અજ્ઞાની અપ્રતિબુદ્ધ જીવને ઉપદેશ આપું છું. તો એમ નથી કહેતા કે રાગ પણ જણાય ને કથંચિત્ તારો આત્મા પણ જણાય એમ નહીં. તારું જ્ઞાન એવું પ્રગટ થાય છે કે જેમાં રાગ ન જણાય અને આત્મા જણાયા વિના રહે નહીં. સમયે સમયે આત્મા જણાય છે. એમ કહે છે કહ્યું ને ભગવાન આત્મા આબાળ-ગોપાળ સૌને સદાકાળ ! કાળ ચોઘડિયે પણ આત્મા જણાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com