________________
૯૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત સુખ નથી.
આમ કરું. આમ કરું. આમ કરું. આમ કરું ઈ પ્રવૃત્તિમય આખો દિવસ. આના પછી આ કરું....આના પછી આ કરું, આના પછી આ કરું.. કરું... કરું...કરું આવ્યું !! જાણવું... જાણવું... જાણવું.... જાણવું નથી આવતું. હવે જાણવું જાણવું આવવા મંડશે. જાણવું... જાણવું આખો પલટો થશે. હા ! એક મહિનામાં ચમત્કાર થઈ જશે. વધારે નહિ. એક મહિનામાં તો ચમત્કાર થઈ જશે. તમારો આત્મા પોકાર કરશે. “ જાણનાર જણાય છે, પર જણાતું નથી.” આ મંત્ર સારો.
૪૫૪
જાણનાર જણાય છે તેમાં શ્રદ્ધાનો ગુણ પ્રગટ થાય છે અને ચારિત્રનો ગુણ પણ પ્રગટ થાય છે. બન્ને એક સાથે પ્રગટ થાય છે. જાણનાર જ છે હોં !! આહા ! એ વસ્તુનું સહજ સ્વરૂપ છે.
૪૫૫
અપરિણામને જાણતાં પરિણામી થઈ જાય છે. અપરિણામીનું જ્ઞાન થતાં સાથે પરિણામીનું જ્ઞાન થયું. અપરિણામીને જાણતાં અક્રમે અનંતગુણો જણાય ગયા અને પરિણામીને જાણતાં સાથે અનંત પર્યાય જણાય ગઈ. કારણ કે પરિણામી શૈય થયો છે. હવે જાણવાનું કાંઈ જ બાકી રહેતું નથી. જાણનાર છું બસ એક.
પ્રભુ મેં જ્ઞાયકરૂપ કેવલ જાનહારા રે.” સારામાં સાર વાત તો હું જાણનાર છું. બધાનો સાર એટલો જ છે. આ સ્ટીકરમાં પહેલી લાઈન શું છે? “હું જાણનાર છું.” સિદ્ધશિલામાં શું હોય? હું જાણનાર છું તેથી જે જાણનાર છે તે જ જણાય છે. બધા જ્ઞાનીઓનો એકમત છે. પછી તે મુનિરાજ હોય કે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક હોય કે ચતુર્થ ગુણસ્થાનવાળો હોય ! “ જાણનાર જણાય છે” એટલે કરનાર ગયું. કરવાનું આખું બંધ થઈ ગયું. અને “જાણનાર જણાય છે” એટલે જ્ઞાયક જ્યાં જણાય છે તો ધ્યેયપૂર્વક શેય થઈ ગયું. ધ્યેયપૂર્વક શેયની વાત અપૂર્વ છે. સહજ સ્થિતિ છે. ધ્યેયના જોરે ય થઈ જાય છે. ય બનાવવાનો પુરુષાર્થ નથી. ધ્યેયમાં જ પુરુષાર્થ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com