________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪
જાણનારો જણાય છે છે”ને બીજું જણાતું નથી. નિષેધપૂર્વક વિધિમાં આવે છે.
પ૯૮ અસ્તિનાસ્તિનું અનેકાંત અનાદિ અનંત છે. “જાણનાર જણાય છે અને પર જણાતું નથી.” સ્વ૫ર જણાય છે તે તો પ્રમાણ છે. પ્રમાણમાં વ્યવહારનો નિષેધ કરવાની તાકાત નથી.
૫૯૯ “જાણનારો જણાય છે” એ જ અમારે ઊંચા અવાજે કહેવું છે.
SOO
બાળગોપાળ સૌને ભગવાન આત્મા વર્તમાન જ્ઞાનમાં જણાય છે. જો જ્ઞાનની પર્યાયમાં આત્મા ન જણાતો હોત તો જ્ઞાનનું અસ્તિત્વ જ ન હોત. જેમ પ્રકાશમાં દીપક જણાય છે તો પ્રકાશની પર્યાયનું અસ્તિત્વ છે. પણ જો પ્રકાશની પર્યાયમાં દીપક જણાતો ન હોત તો તો પ્રકાશ જ ન હોત. તેમ પ્રત્યેક જીવને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ભગવાન આત્મા જણાય રહ્યો છે. તેવા જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ છે. તેમાં “જાણનારો જણાય છે” તેથી તો જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ છે. “જાણનારો જણાય છે” માટે તો જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ રહી ગયું છે. હવે તારી ભૂલ એ થાય છે કે તને જણાય છે તો જ્ઞાન માની રહ્યો છે ય તેજ તારી ભૂલ છે.
૬૦૧
સર્વ જીવોને સ્વપરનો પ્રતિભાસ થઈ જ રહ્યો છે. આ સ્વપરનો પ્રતિભાસ બંધ મોક્ષનું કારણ નથી. નિરંતર જાણનારો જણાય રહ્યો હોવા છતાં મને પર જણાય છે તો ઉપયોગ અશુદ્ધ ઉપયોગરૂપ થઈ જાય છે, જે સંસારનું કારણ છે. “નિરંતર જાણનારો જણાય રહ્યો છે” અને પરનો પ્રતિભાસ પણ થઈ રહ્યો છે. એ સમયે આવે કેઃ “જાણનાર છું” અને જાણનારો જ જણાય છે, અને પર જણાતું નથી,” તો ઉપયોગ શુદ્ધ ઉપયોગ રૂપ થઈ જાય છે. જે મોક્ષનું કારણ છે.
૬૦૨
જ્યારે જ્ઞાનમાં આ આંગળી પ્રતિભાસે છે ત્યારે એ વ્યવહારનો નિષેધ કરવો અને “જાણનારો જણાય છે” એમ લેવું. તો “જાણનારો તો નિરંતર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com