________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨
જાણનારો જણાય છે શું કહ્યું? ફરીવાર! આ આત્માનો અનુભવ કરવાની કળા સંતો જાહેર કરે છે. આ પર દ્રવ્યોને હું જાણું છું તારો અભિપ્રાય મિથ્યા છે. ઉપયોગ તો પર સન્મુખ જ રહ્યો. જેમ પર પદાર્થનો કર્તા નથી, તેમ જ્ઞાતા એ નથી. હવે એમ લે કે: “મને જાણનાર જણાય છે” એટલું લે તો બસ કામ થઈ જશે.
૪૯૬
“જાણનારો જણાય છે” જેને આ વાતની કિંમત લાગશે એને સમ્યકજ્ઞાનથી માંડીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે.
૪૯૭ “જાણનારો જણાય છે” તે વિકલ્પ નથી સ્વભાવ છે.
૪૯૮ પહેલો પાઠ સવારે અકર્તાનો હતો. હવે બીજા પાઠમાં આત્મા જ્ઞાતા છે. પણ સ્વનો જ્ઞાતા છે અને પરનો જ્ઞાતા નથી. હવે તેમાં એ સ્વપર પ્રકાશકની વાત ખૂબ જ આવે છે. સ્વપર પ્રકાશકનો જન્મ કેમ થયો? અને તેમાંથી રસ્તો કેમ કાઢવો?! તે હવે આપણે શીખવાનું છે. સ્વપર પ્રકાશક તો આગમનું વચન છે. તેની “ના” નથી. માથે ચડાવી લેવું, પણ સ્વાર પ્રકાશક ઉત્પન્ન કેમ થયું? આત્મા આત્માને જાણે છે તે નિશ્ચય છે. આત્મા પરને જાણે છે તે વ્યવહાર છે.
આ વ્યવહાર ઊભો કેમ થયો? તેના સ્વભાવમાં છે? જો સ્વભાવમાં હોય તો છૂટે નહીં. તમે ગમે તેટલો પરને જાણવાનો નિષેધ કરો પણ જો સ્વભાવ હોય તો છૂટે નહી. ત્યારે હવે કહે છે તેને કોણ જાણે છે? સાધક દશામાં? સાધક પોતે શાસ્ત્ર લખે વાંચે ત્યારે શું થાય છે? કેઃ ઇન્દ્રિયજ્ઞાન તેને જાણે છે. હું તેને જાણતો જ નથી. મારું જ્ઞાન તો મને જાણવાનું છોડતું જ નથી.
છે. જ્યારે “જાણનારો જણાય છે” એનું જોર જ્યારે આવશે, અને પર જણાતું નથી તેવો કામચલાઉ વિધિ-નિષેધ કરવો પડશે. પછી લાંબો ટાઈમ વિધિ નિષેધમાં નહીં રોકાવું પડે. પણ “જાણનારો જણાય છે ખરેખર પણ જણાતું નથી.” પણ પરનો પ્રતિભાસ દેખીને આવો ઉપચાર થયો કે સાધકનું જ્ઞાન રાગને જાણે છે તે ઉપચારનું કથન છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com