________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪
જાણનારો જણાય છે
૪૫૬ “હું જાણનાર છું અને જાણનાર જણાય છે” તેમાં છ દ્રવ્યની સિદ્ધિ થઈ ગઈ.
૪૫૭
“ જાણનાર જણાય છે” આ મંત્રનો જાપ ચાલુ રાખજે. અવશ્ય ભેદ છૂટી જશે. જો કોઈ દિવસ આ વિચારમાં પણ કોઈ એવી અપૂર્વતા ભાસી ગઈ તો જાણનારો અંતર્મુહૂર્તમાં પ્રત્યક્ષ થઈ જશે.
૪૫૮
હું પરને જાણતો જ નથી, પર મને જણાતું જ નથી; હું જાણનારને જ જાણું છું, મને જાણનાર જ જણાય છે તે ગુણ જ ગુણ છે.
૪૫૯ છપ્રસ્થનો ઉપયોગ એક સાથે બેને ન જાણે. પરને જાણવાનું બંધ થાય ત્યારે સ્વને જાણે. રાગને જાણે અને આત્માને પણ જાણે તેમ ન બને. પછી રાગ સંબંધીના જ્ઞાનને જાણે છે, અને રાગને જાણે છે તે ઉપચાર છે. ખરેખર તો “શેયાકાર અવસ્થામાં જ્ઞાયકને જાણે છે.” જ્ઞાનને જાણે છે તે પણ ભેદ છે.
જાણનાર જણાય છે તે વાત ટંકોત્કીર્ણ છે, “જાણનારો જણાય છે” હુર સમયે. સાધક સવિકલ્પ દશામાં એ તો સ્વને જાણતાં પરને જાણે છે.
૪૬૦ એક વાર પર પદાર્થને જાણવાનું બંધ કરી દે! “જાણનાર જણાય છે, બીજું કાંઈ જણાતું નથી.” આહાહા ! તો અતીન્દ્રિય જ્ઞાન કર્તાનું કર્મ થઈ જશે. “જાણનાર જણાય છે” તેમાં આત્મજ્ઞાન પ્રગટ થાય છે.
૪૬૧
પરને રાગને જાણતાં જ્ઞાન નથી ને સુખે નથી. તો જ્ઞાતા બુદ્ધિ છૂટે, અને તે જ સમયે ઉપયોગ અંદરમાં ગયો. કેમકે પરને જાણતાં, શાસ્ત્રને જાણતાં જ્ઞાને નથી અને સુખે નથી તેમ જાણે તો ઉપયોગ અભિમુખ થાય છે. જાણનારને જાણતાં જ્ઞાન અને સુખ છે. કેમ કે જાણનારને જાણતાં જ્ઞાન અને સુખ થાય છે. તેમાં અપવાદ નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com