________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
પ૬ આ વાતની પાછળ પડી જવા જેવું છે કેઃ “જાણનારો જણાય છે” અને ખરેખર પર જણાતું નથી.
આત્મા ખરેખર પરને જાણતો જ નથી અને જાણનારને જ જાણે છે એ વાત જો અંદરથી ઊગી જાય; અને અંતરથી શલ્ય નીકળી જાય, છૂટી જાય; તો આત્માનો અનુભવ થઈ જાય. હું પરને જાણતો નથી એટલામાં તો જાણનારો જણાય જાય છે.
જિજ્ઞાસાઃ- બસ, એટલામાં જાણનાર જણાય જાય છે?
સમાધાનઃ- હા. પરને જાણું છું .. શલ્ય ગયું ને? તો ઇન્દ્રિયજ્ઞાન રોકાઈ ગયું, અને જાણનારો જણાય જાય છે. આત્માના અનુભવ સિવાય કોઈ ધાર્મિક ક્રિયા નથી.
૫૮
“હું જાણનાર છું અને જાણનારો જણાય છે” એવા વિચારમાં પણ મુક્તિનો અનુભવ થાય છે.
૫૯
શાસ્ત્ર લખીએ છીએ, કલમ ચાલે છે, ત્યારે “જાણનારો જણાય છે.” ઉપાદાન જણાય છે. નિમિત્ત ઝળકે છે પણ જણાતું નથી. કેમકે અમારું લક્ષ નિમિત્ત ઉપર નથી.
SO
પૂજામાં બેઠાબેઠા મને તો “જાણનારો જ જણાય છે” એમ જ્યાં પરોક્ષમાં આવ્યો અને ભેદ છૂટતાં ત્યાં બેઠાબેઠા જ પ્રત્યક્ષ થાય. પૂજામાં બેઠાબેઠા ભવનો અંત કરી નાખ્યો.
૬૧
“જાણનાર જણાય છે તે વાત એવી છે કે મડદાં જીવિત થઈ જાય. સર્વજ્ઞ ભગવાન કહે છે, સમયસાર કહે છે, તું “હા” પાડ ને? તને તેમાં લાભાલાભ જ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com