________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત દ્વારા પણ આત્મા જણાતો નથી.
ભગવાનની પ્રતિમા મને જણાય છે તેવા જ્ઞાન દ્વારા પણ “ જાણનાર જણાતો નથી” સાક્ષાત તીર્થકર ભગવાનને જાણનારું જ્ઞાન એટલે અજ્ઞાન તેના દ્વારા પણ આત્મા જણાતો નથી. ભગવાને નવ તત્ત્વો કહ્યાં છે, તે નવ તત્ત્વોને જાણનારું જ્ઞાન એટલે કે અજ્ઞાન તેના દ્વારા પણ આત્મા જણાતો નથી.
જિજ્ઞાસા- આત્મા કઈ નયથી જણાય?
સમાધાન- શુદ્ધ નિશ્ચયનયથી. જે જ્ઞાન આત્માની સન્મુખ થાય, “હું જાણનાર છું અને કેવળ જાણનાર જ જણાય છે” એવું જ્ઞાન આત્માની સન્મુખ થાય તેમાં કેવળ આત્મા જ શેય થાય અર્થાત્ જણાય.
જણાય એટલે કે જણાઈ રહ્યો છે તે જણાય તે જ્ઞાનને પરમાત્મા શુદ્ધનય કહે છે તેવા જ્ઞાન દ્વારા આત્મા જણાય છે.
૪૫ જાણનારો જણાય છે તેનું નામ મોક્ષ. પર જણાય છે તેનું નામ 7 સંસાર.
૪૬
ધ્યાન આપવા લાયક વાત આ એક જ છે, કે “નિરંતર જાણનારો જણાય
४७
જાણનાર જાણવામાં આવી રહ્યો છે માટે તો જાણનાર જાણવામાં આવે છે. (એક સામાન્ય બીજું વિશેષ.)
४८
જિજ્ઞાસાઃ- “ જાણનારો જણાય છે” પણ જાણનારનું સ્વરૂપ શું છે? સમાધાનઃ- “ જાણનારો જણાય છે” એવો ભાવ આવે છે, છતાં.. જાણનાર કેમ જણાતો નથી? સૌ પ્રથમ તો તેને જીવતત્ત્વ સંબંધી ભૂલ છે, જેવું જીવનું સ્વરૂપ છે તેવું લક્ષમાં લીધું નથી. તેણે ચારેબાજુથી દ્રવ્યનો નિશ્ચય શોધવો પડે અને પછી પર જણાતું નથી તેવો નિષેધ નથી આવતો. માનો કે પર જણાતું નથી તે પણ આવી જાય તો પણ “જાણનાર જણાય છે” તે અંતરંગથી કેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com