________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
આ ૧૭, ૧૮ ગાથામાં કહ્યું છે. પછી જ્ઞાની ભેદથી એમ પણ કહે કે તને આ (પર) નથી જણાતું, પણ તારી જ્ઞાનની પર્યાય જણાય છે. પર જણાય છે ત્યારે આત્મા જણાય છે તેમ કહે તો તે સમજી શકતો નથી.
૩૦ “જાણનારો જણાય છે” તેને જ જાણવું એ જ સ્વભાવ છે; જેમાં અનુભવ થાય એ જ એનો સ્વભાવ હોય ને?
૩૧ કેવળ “ જાણનારો જ જણાય છે” કેમકે જ્ઞાન જાણનારનું છે; પરનું નથી તેમજ સ્વપરનું પણ નથી.
૩૨.
કરવાપણું છોડીને “જાણનાર જણાય છે” તેવો પ્રયોગ કર તો અનુભવ થઈ જશે.
૩૩
એક અંતરમુહૂર્ત પ્રેક્ટિસ તો કર કે “જાણનાર જણાય છે” તેના ફળમાં તને આનંદ આવશે. આત્માને જાણવાથી અનુભવ થશે. સંસારનો અંત આવશે. વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ થશે.
૩૪ - જ્ઞાનથી જાણનારો તાદાભ્ય હોવાથી; “જાણનારો જ જણાય રહ્યો છે”, માટે જ્ઞાનમાં જ્ઞાયકનો જ અનુભવ થાય છે.
૩પ
“જાણનારો જણાય છે”, આ વાત સાચી લાગ્યા વિના ભૂત, વર્તમાન ભાવિમાં અનુભવ થઈ શકતો નથી.
આત્માને જાણવા માટે “જાણનારો જણાય છે” તેવો ક્ષયોપશમ ખીલવો જોઈએ.
૩૭ “જાણનારો જ જણાય છે”, અને જાણનારને જ જાણું છું તે સમ્યફ એકાંત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com