________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૭
જ્ઞાન છે તે સ્વભાવથી આત્માને જાણે છે, તેમાં નિશ્ચયાભાસી ન થાય. સ્વભાવ નિશ્ચયનયથી તથા વ્યવહારનયથી નિરપેક્ષ હોય છે. સ્વભાવમાં નયનો પ્રયોગ થતો નથી. નિશ્ચયથી જાણનાર જણાય છે, વ્યવહારથી ૫૨ જણાય છે, તેવા નયોથી સ્વભાવ નિરપેક્ષ છે. જ્યારે નય સાપેક્ષ છે. જાણનાર નિશ્ચયથી જાણવામાં આવતો નથી. જાણનાર સ્વભાવથી જ જ્ઞાનમાં જણાય છે તેવો કોઈ જ્ઞાનનો અદ્દભુત સ્વભાવ છે.
૧૮
જાણનારો જણાય છે” લાખો કરોડોમાં કોઈક આમાં આવે છે. આ નજીકનો વિકલ્પ છે.
૧૯
સકલ સાધ્યની સિદ્ધિનો એક માત્ર ઉપાય. “ જાણનારો જણાય છે.”
૨૦
“ જાણનારો જણાય છે” આ મોહના નાશ માટેનો રામબાણ ઉપાય છે.
૨૧
કુંદપ્રભુએ કહ્યું: જાણનારને જાણ ! ” અમૃતપ્રભુએ કહ્યું; જાણનારો
,,
જણાય છે.
૩
66
66
૨૨
કેટલો સહેલો કરી દીધો અનુભવ! અમૃતપ્રભુએ ઉત્તમથી ઉત્તમ સમાચાર આપ્યા. બધાને “ જાણનારો જણાય છે.”
૨૩
૫૨ને જાણું છું તે દોષની ઉત્પત્તિની ખાણ.
“ જાણનારો જણાય છે.” તે દોષના નાશની ખાણ.
૨૪
ભગવાને કહેલું તત્ત્વ કોને બેસે? પ૨ને જાણતો નથી, “મને જાણનારો જણાય છે” એ સિદ્ધાંત બેસે તેને.
૨૫
29
દિવસમાં દસ વખત બોલવું; “હું જાણનાર છું અને જાણનારો જણાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com