________________
૬૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે. વિશેષ અપેક્ષાએ પરિણમી જાય છે. સામાન્ય અપેક્ષાએ અકર્તા હોવા છતાં પણ વિશેષ અપેક્ષાએ કર્તા થાય છે. તે તેનું અજ્ઞાન છે.
એ જ આત્મા પોતાની યોગ્યતાથી ગુરુગમ સ્વપરનાં પ્રતિભાસમાંથી સ્વના પ્રતિભાસને આવિર્ભાવ કરે તો જ્ઞયાકાર જ્ઞાનનો તિરોભાવ કરે છે. મને પર જણાતું નથી તેમાં ઇન્દ્રિયજ્ઞાન ક્ષણભર રોકાય જાય છે.
“મને તો જાણનાર જણાય છે. તો તેને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થતાં આત્મદર્શન પ્રગટ થઈ જાય છે. આ એક વિધિ છે અને તે શાસ્ત્રમાં લખેલી છે.
૩૫૯
આબાળ ગોપાળ સૌને “જાણનારો જણાય છે.” અનુભૂતિ સ્વરૂપ આત્મા જણાય છે. એટલે અનાદિ અનંત લાગુ પડે છે. “ જાણનારો જણાય છે” તે તાદાભ્ય છે.
૩૬૦
ખુરશી જણાય છે તો જ્ઞાન ખુરશીનું થઈ ગયું. તો જ્ઞાન જડ થઈ ગયું. જ્ઞાન ખુરશીનું નથી, માટે જ્ઞાનમાં ખુરશી જણાતી નથી. જ્ઞાન આત્માનું છે તેથી જ્ઞાનમાં આત્મા જણાય છે. જ્ઞાન શાસ્ત્રનું નથી માટે જ્ઞાનમાં શાસ્ત્ર જણાતું નથી. જો જ્ઞાન શાસ્ત્રનું હોય તો જ્ઞાનમાં શાસ્ત્ર જણાય! પરંતુ જ્ઞાન તો આત્માનું છે માટે જ્ઞાનમાં આત્મા જણાય છે. જ્ઞાન રાગનું નથી માટે જ્ઞાનમાં રાગ જણાતો નથી. “ જાણનારો જણાય છે ” બસ બીજું કાંઈ નથી.
બહુ વિસ્તાર કરવા જતાં નિશ્ચયથી ખસી જવાય છે. અને થોડો વિસ્તાર કરતાં વ્યવહાર મર્યાદારૂપ રહે છે. ઝાઝો વિસ્તાર કરે તો એ વ્યવહાર મર્યાદા બહાર જાય છે. બીજાને સમજાવવા માટે દૂર શા માટે જવું?!
૩૬૧ ઉપરથી આખો પારો ધ્યેયનો સિદ્ધ કર્યો પછી કેમ ધ્યાન થાય એ પ્રશ્ન હતો. અનુભવ સહજ છે. શ્રદ્ધાનું જ્યારે બળ આવે છે ત્યારે પરિણામ આત્મ અભિમુખ થઈ જાય છે. શ્રદ્ધાનું એવું બળ આવે છે કે પરિણામ મારાથી ભિન્ન છે. તેથી પરિણામનો કર્તા નથી. બીજું શ્રદ્ધાનું એવું બળ આવે છે કે પરિણામ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com