________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૭પ ઉપાદાનની જાહેરાત કરે છે કે નિમિત્ત નિમિત્તની જાહેરાત કરે છે? શું છે એમાં !?
૩૯૦ આત્મા પોતાને જાણવાનું છોડી પહેલાં થોડો ટાઈમ પરને જાણી લે, પછી અંદર આત્માને જાણવા જાય એવું છે નહીં. આત્માને છોડીને પરને જાણવા જાય છે તે જ્ઞાન આત્માનું છે નહીં. તે જ્ઞયનું જ્ઞાન હોવાથી જ્ઞય જ છે. આ પાંચ ઇન્દ્રિય છે, ભાવમન છે તેની વાત છે. દ્રવ્ય ઇન્દ્રિય તો જડ છે. ભાવઈન્દ્રિય શેયને જાણવા જાય તો ભલે જાય પણ આત્મા પોતાને જાણવાનું છોડતો નથી. અને મને પર જણાય છે એનો સ્વીકાર કરતો નથી. પોતાની મેળે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી લે છે. અને પોતાની મેળે જ્ઞાનનું જ્ઞાનત્વ કરે છે.
જાણનારો જણાવા છતાં પણ.... આહા! જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ હોવા છતાં પણ પૂ. ગુરુદેવે કહ્યું કે આત્માનો ઉપયોગ પરને જાણવા જતો જ નથી. તો પછી પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી. એમ ઘણી ઘણી વાતો કરી ગયા છે.
૩૯૧ “જાણનારો જ જણાય છે” રાગ જણાતો નથી. કેમ જણાતો નથી? તેમાં નથી તેથી જણાતો નથી. તેમાં છે તે બધું જણાય છે.
૩૯૨
જાણનારો જાણે છે પ્રચલિત વાત. જાણનારો જણાય છે કે અપ્રચલિત વાત.
૩૯૩ જ્ઞાનનો પર્યાય સામાન્ય વિશેષ સ્વરૂપ છે. સામાન્ય જ્ઞાનનો અભાવ થતો નથી. તિરોભાવ રહે છે. સામાન્યજ્ઞાન કે જે જ્ઞાનમાં બાળગોપાળ સૌને જણાય છે, પણ તે જાણતો નથી. એ અપેક્ષાએ સામાન્યજ્ઞાનનો તિરોભાવ કર્યો અને વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થયો. મને પર જણાય છે. મને આ જણાય છે..! પણ મને સામાન્યજ્ઞાનમાં સામાન્ય જણાય છે, જ્ઞાયક જણાય છે. દ્રવ્યાર્થિકનયની આંખ ઉઘાડીને જોઉ છું એવું એક સામાન્યજ્ઞાનમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com