________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૩પ જ્ઞાયકભાવમાં પ્રમત્ત-અપ્રમત્ત ભાવનો અભાવ છે. બંધ-મોક્ષના પરિણામથી રહિત છે. કર્તા ભોક્તાના ભાવથી શૂન્ય છે.
૨૧૪
સર્વજ્ઞદેવની શ્રીગુરુની દેશના આટલી જ છે કેઃ “જાણનારો જ જણાય છે.” ખરેખર આત્મા પરને જાણતો જ નથી. આટલું જ કહેવું છે. પરને જાણવાનું બંધ કરી, વ્યવહારનો નિષેધ કરી, “જાણનારો જે ખરેખર જણાય છે” એને જ જાણવાનું છે.
૨૧૫ પરમાત્મ તત્ત્વમાં ધ્યાનાવલી નથી”. આ ઊપજી ક્યાંથી? આત્મામાં જઈને આત્માનો અનુભવ કરીએ છીએ તો આત્મામાં તો ધ્યાનાવલી નથી. નથી' અને પછી “છે' એવું કોણે કહ્યું? !
તેમ જણાય છે તો જાણનાર અને હું પરને જાણું છું તે કયાંથી આવ્યું? હું પરને જાણું છું તે કોણે કહ્યું? આ અજ્ઞાનના ઘરમાંથી આવ્યું છે. “જ્ઞાયક નથી ત્યમ પર તણો.” સ્વરૂપમાં તો નથી પર ને જાણવું! તો આવ્યું કયાંથી? જ્ઞાનની પર્યાયનો નિશ્ચય તો આત્માને જાણવાનો છે. તો પછી આ કયાંથી ચાલ્યું? કોણે ચલાવ્યું?
૨૧૬ જિજ્ઞાસા ખરેખર કરવાનું શું હતું?
સમાધાન: કે જે પરની સાથે શેય-જ્ઞાયકપણાનો વ્યવહાર હતો, તેને વ્યવહાર જાણી, એનો તો નિષેધ કરવાનો હતો. હું જ્ઞાયક અને પર શેય એમ નથી. હું જ જ્ઞાયક છું ને હું જ શેય છું તેમ નિશ્ચય ય-જ્ઞાયકનો અભેદ અનુભવ તે જ આત્માનું સ્વરૂપ છે. હું જાણનાર છું અને હું જ જ્ઞય હોવાથી હું જ જણાઈ રહ્યો છું. એટલે કે “જાણનારો જ જણાય છે ”; એમાં જ અનુભવ થાય છે.
૨૧૭ જો હવે મુદ્દાની વાત આવે છે. શેયાકાર અવસ્થામાં એટલે કે શેયોનો જ્યારે પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં ત્યારે જ્ઞાન એને જાણતું નથી. પણ જોયો જણાય છે તેવા કાળે ! ( આત્માનો) આનો પ્રતિભાસ પણ જ્ઞાનમાં થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com