________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૪૯ ૨૭૬
જાણનાર જ જણાય છે.” બીજું કાંઈ જણાતું જ નથી. લાખ વાતની એક વાત બીજી કોઈ વાત સાંભળોમાં! !નિર્દયપણે વ્યવહારનો નિષેધ કરજો.
૨૭૭
મૂળમંત્રેભ્યો નમઃ –
“જાણનાર જણાય છે.”
જે સમયે ઉપયોગમાં જાણનાર જણાઈ રહ્યો છે તે સમયે શ્રદ્ધા પણ કરવાની છે, જ્ઞાન પણ કરવાનું છે. જ્ઞાન સરદાર છે તેથી જાણેલાનું શ્રદ્ધાન થાય છે. “જાણનાર જણાય છે”, તે જ્ઞાન નવું પ્રગટ થાય છે, તે સાથે શ્રદ્ધાન પણ પ્રગટ થાય છે. જાણેલાનું શ્રદ્ધાન થાય છે.
નિગોદનાં જીવમાં પણ ઉપયોગ છે. ઉપયોગની સ્વચ્છતા એવી છે કે તેમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એટલે નિજ પરમાત્મ દ્રવ્ય પણ જણાય. કારણ કે એનામાં યત્વ છે; તેથી એનો પણ પ્રતિભાસ થાય છે. હવે આ સામાન્ય લક્ષણ બધા જીવોની પાસે છે. તેમાંથી કોઈ જીવ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરે છે, અને જ્ઞયાકાર જ્ઞાનનો તિરોભાવ કરે છે, તો તે સમ્યક્રદૃષ્ટિ થઈ જાય છે.
સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કેમ થાય? વિશેષ જ્ઞયાકાર જ્ઞાનનો તિરોભાવ કેમ થાય ? તેથી વ્યાખ્યા કરી. જેનાં ફળમાં શુદ્ધોપયોગ પ્રગટ થાય! તે કેમ થાય? કહે છે કેઃ “ જાણનાર જણાય છે” ને પર પદાર્થ જણાતા નથી. યાકાર જ્ઞાન તિરોભાવ પામે છે પણ અભાવ થતો નથી ધ્યાન રાખજે.
૨૭૮
હવે સામાન્યજ્ઞાનનો આવિર્ભાવ કેમ થયો? કહે છે કે સામાન્ય જ્ઞાનમાં જ્ઞાયક જણાતો હતો. ઉપયોગનો અભાવ થતો નથી. પરંતુ પરનું લક્ષ હતું. કારણ કે એ ઉપયોગમાં જ્ઞાનાનંદ પરમાત્મા જણાવા છતાં એનું દુર્લક્ષ કરીને, મને આ (પર) જણાય છે; આ જણાય છે; આ જણાય છે; એમ શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ એટલે અજ્ઞાન અને સામાન્યજ્ઞાનનો તિરોભાવ કરે છે. તેનો પ્રતિભાસ હતો પણ આવિર્ભાવ ન હતો. અજ્ઞાની, અભવ્યને પણ પ્રતિભાસ છૂટતો નથી. ખ્યાલમાં આવ્યું !!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com