________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે.
૩૪૧ જાણનાર જણાય છે, પર જણાતું નથી, એમાં આવ્યો તો તો ઇન્દ્રિજ્ઞાન બંધ થઈ ગયું, તો મોહ વયો ગયો. “જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી.” પરને જાણવું ભ્રાંતિ છે, તેવું શાસ્ત્રમાં લખ્યું છે. કરવું તો તારા સ્વભાવમાં નથી, પણ પરને જાણવું તારા સ્વભાવમાં નથી. સમ્યકદર્શન ધર્મનું મૂળ છે, ચારિત્ર ઝાડ અને કેવળજ્ઞાન ફળ છે.
૩૪૨ ધ્યેય હાથમાં આવે પછી શેયમાં ભૂલ હોય તો ધ્યેયનું સ્વરૂપ ઝાંખું ઝાંખું થતું તે સ્વરૂપ ભૂંસાઈ જાય છે અને ક્રમે નિગોદમાં ચાલ્યો જાય છે. થોડા કાળ પછી સંસ્કાર છૂટી જાય છે. હવે પરનો પ્રતિભાસ ઉપયોગમાં થાય છે. ત્યારે જાણનાર જણાય છે તો આખો આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત
ય થાય છે. પર્યાય એકલી ય થતી નથી. પરિણામી અભેદ આત્મા ય થાય છે.
૩૪૩ કહેવાનો આશય ઈ છે કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એટલો પક્ષ આવી જાય તો બસ.
“જાણનાર છું, કરનાર નથી.” “ જાણનાર જણાય છે.” બસ. આ બે જ વાક્ય છે. એમાં બધું જ આવી જાય છે. “હું જાણનાર છું રાગાદિનો કરનાર નથી. જેમ ચક્ષુ દેખનાર છે તેમ “હું જાણનાર છું” “હું જાણનાર છું કરનાર નથી.”
જિજ્ઞાસા - એટલું બધું સહેલું હોય તો બધા જ પામી જાય ?!
સમાધાન - બધા જ પામી જાય તેવું જ છે. પણ તેને એ વાત બેસવી જોઈએ ને? હું રાગનો કરનાર નથી. કરનાર ન હોય તો કાંઈ નહીં પણ રાગ જણાય તો ખરો ને?
૩૪૪ જાણનારો જણાય છે” તેવો વિકલ્પ તે વ્યવહાર બ્રહ્મચર્ય છે. “ જાણનારો જણાય છે” તે નિશ્ચય બ્રહ્મચર્ય છે. તેના ફળમાં સ્વભાવિક શીલની પ્રાપ્તિ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com