________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૬૩ વસ્તુની સ્થિતિનો સ્વીકાર એટલે જાણનારો જણાય છે” અને તેનો સ્વીકાર તેનું નામ જ અનુભવ છે.
૨૬૪ જ્ઞાનનું લક્ષણ પરને ન જાણવું. “જાણનારને જ જાણવું “, આ જ્ઞાનનું લક્ષણ ઇન્દ્રિય જ્ઞાનમાં નથી. માટે તે જ્ઞાન નથી.
૨૬૫ સ્વભાવથી જ “જાણનારો જણાઈ રહ્યો છે; જાણવામાં આવી રહ્યો છે એમાં સ્વભાવ જ લક્ષમાં આવે છે.
૨૬૬ જ્ઞાનના લક્ષવાળો પાર્ટ બરાબર લીધો છે કે; “જાણનાર જ જણાય છે ને પર જણાતું જ નથી.”
૨૬૭ જીવના પરિણામ તેને કહીએ કે જેમાં “જાણનારો જણાય” અને બીજું કાંઈ ન જણાય.
૨૬૮ અનાદિ અનંત ઉપયોગલક્ષણ છે. ઉપયોગલક્ષણ આત્માનું છે. તેથી તેમાં આત્મા જ જણાયા કરે છે કે નહીં? કેવળજ્ઞાન ન થાય તો જણાય કે ન જણાય? પ્રત્યક્ષ અનુભવ થાય તો જણાય કે નહીં? અરે! જણાય, જણાય ને જણાય. આહાહા! અરે! મને મારા જ્ઞાનમાં “જાણનાર જણાય છે”, બીજું કાંઈ જણાતું નથી. ત્યાં તો અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈને આનંદ આવશે તને.
ર૬૯
વિધિનિષેધ નયમાં છે. સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણી રહ્યું છે, તેમાં વિધિ-નિષેધનો વિકલ્પ ન આવ્યો. બન્ને એકસાથે જાય છે. બાળ-ગોપાળમાં હું આવી ગયો કે ન આવ્યો? બહાર ગયો? આવી ગયો. મારા જ્ઞાનમાં મારો પરમાત્મા જાણનાર જણાય છે.
૨૭૦ પરને જાણવાનું ચાલું રાખતાં પોતાના અસ્તિત્વનો નાશ થાય છે. પરને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com