________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૩૯
૨૨૭
“જાણનાર જણાય છે” તે સ્વભાવના પક્ષ અને લક્ષપૂર્વક ઈન્દ્રિયજ્ઞાન રોકાઈ જાય છે.
૨૨૮
હું પરને જાણતો નથી, તો પર્યાયમાંથી હું-પણું છૂટયું... તો “જાણનારો જણાય છે, તેમ આવ્યું. પછી “હું જાણનાર છું” તો જ્ઞાન પણ સમ્યફ થઈ ગયું.
૨૨૯ મને લાગે છે આ હવા ચાલુ થઈ ગઈ છે. “આત્મા પરને જાણતો નથી, અને જાણનાર જણાય છે” તે હવા ચાલુ થઈ ગઈ છે. ઈ... ફેલાશે અને ઓલી દૂષિત હવા છે તે નીકળી જશે.
૨૩૦
સ્વપર પ્રકાશક ઉપર અર્થાત્ સ્વપર બન્નેને જાણે છે તેના ઉપર ચોકડી મારી દ્યો. પણ તેને બદલે તેમ લેવું કે સ્વપરનો પ્રતિભાસ થાય છે. સ્વપરના પ્રતિભાસમાં કર્તાબુદ્ધિ ખલાસ થાય છે. સ્વપરના પ્રતિભાસમાં આવ્યો તો જ્ઞાતાજ્ઞયની ભ્રાંતિ પણ જાય છે અને “જાણનાર જણાય છે” તેમાં આવી ગયો.
૨૩૧ જિજ્ઞાસા: પ્રતિમાને જ્ઞાન જાણે છે કે ઇન્દ્રિયજ્ઞાન જાણે છે?
સમાધાનઃ ઇન્દ્રિયજ્ઞાન જાણે છે. ઇન્દ્રિયજ્ઞાન જાણે તો જાણો. હું પ્રતિમાને જાણતો જ નથી. મેં તો જાણનાર કો જાનતા હૂં. સમયે સમયે જાણનારો જણાતો હોવા છતાં તેને લક્ષમાં નથી આવતો. બાળ-ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં તેનું લક્ષ ત્યાં નથી માટે અજ્ઞાની રહી જાય છે.
૨૩૨
લીંબુની ખટાશમાં દાળ પ્રસિદ્ધ થાય છે કે લીંબુ પ્રસિદ્ધ થાય છે? જો દાળ ખાટી તો લીંબુ ગયું ને, લીંબુની અવસ્થા પણ ગઈ. જ્ઞાયક ગયો ને ઉપયોગ લક્ષણ પણ ગયું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com